ગરમીમા ખાવ તરબૂચ, મગજ રહેશે ઠંડુ અને દિલ થશે મજબૂત
તરબૂચ મગજને ઠંડક આપવાની સાથે સાથે હૃદયની પણ કાળજી રાખે છે. તરબૂચ ખાવાના ફાયદા
webdunia
તરબૂચ ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડીને દિલને મજબૂત રાખે છે.
સોડિયમની માત્રા ઓછુ હોવાને કારણે આ લગભગ બધી વયના લોકો માટે નાસ્તાનુ યોગ્ય માધ્યમ છે.
તરબૂચ આર્થરાઈટિસના દર્દીઓ માટે ખૂબ જ ગુણકારી હોય છે.
તરબૂચમાં એંટી ઈફ્લેમેટરી ગુણ સાથે કૈરોટિનોઈડ બીટ-ર્કિપ્ટો જૈથિન જોવા મળે છે
તેનુ સેવન કરવાથી રયૂમેટાયડ અર્થરાઈટિસના દર્દીઓને સામાન્ય રૂપે ફાયદો થાય છે.
તરબૂચનુ સેવન એંટીઓક્સીડેંટ કોશિકા ક્ષતિને રોકવામાં મદદ કરે છે.
તરબૂચના સેવનથી કેંસર અને હાર્ટ સ્ટ્રોક જેવી અનેક મોટી બીમારીઓથી રાહત મળે છે.
તરબૂચ શરીરને હાઈડ્રેટ કરી પાણીની કમીને દૂર કરે છે. તરબૂચમાં લગભગ 75 ટકા પાણી હોય છે.
તરબૂચ વજન ઘટાડવામાં પણ સહાયક હોય છે. આ શરીરને તાકત આપે છે.
તેના સેવન પછી શરીરમાં તાજગી રહે છે અને ઘણા સમય સુધી ભૂખ લાગતી નથી.