પીપળના પાનના શુ ફાયદા છે ?

પીપળો ફક્ત ધાર્મિક કારણોથી જ મહત્વપૂર્ણ નથી પરંતુ તેના કેટલાક ઔષધીય ગુણ પણ છે.

webdunia

પીપળાના દાતણથી દાંત મજબૂત થાય છે અને દાંતનો દુખાવો દૂર થાય છે.

10 ગ્રામ પીપળની છાલ, કાથો અને 2 ગ્રામ કાળા મરીને વાટીને તૈયાર કરેલી પેસ્ટ દાંતની સમસ્યાઓ દૂર કરે છે.

પીપળના પાનનો ઉપયોગ શ્વસન સંબંધી સમસ્યાઓ, કબજિયાત અથવા ગેસની સમસ્યામાં દવા તરીકે થાય છે.

પીપળાના પાન ખાવાથી અથવા તેનો ઉકાળો પીવાથી દાદ, ખાજ, ખંજવાળ જેવી ત્વચાની સમસ્યાઓમાં ફાયદો થાય છે.

એડીઓ ફાંટી જવી કે ફોલ્લા થાય તો પીપળાની છાલને વાટીને લગાડવાથી પડવાથી ફાયદો થાય છે.

પીપળાના પાનની ગરમ પેસ્ટ શરીરના કોઈપણ ભાગ પર લગાવવાથી ઘા સુકાઈ જાય છે.

પીપળાની તાજી જડને પલાળીને ત્વચા પર તેનો લેપ કરવાથી કરચલીઓ ઓછી થવા માંડે છે.

પીપળો એંટીઓક્સીડેંટથી ભરપૂર હોય છે. તેના કોમળ પાનને નિયમિત રૂપથી ચાવવાથી તણાવમાં કમી આવે છે.

નાકમાંથી લોહી આવવાની સમસ્યા થાય તો તેના પાનને સૂંઘવાથી આરામ મળે છે.

કમળો થઈ જાય તો પીપળના 3-4 નવા પાનના રસમાં આખી સાકર મિક્સ કરીને બનાવેલ શરબત પીવાથી ખૂબ લાભ થાય છે.

નોંધ - આ માહિતી જાણકારી માટે છે. આરોગ્ય સંબંધી કોઈપણ ઉપાય ડોક્ટરની સલાહ વગર ઉપયોગ ન કરો.