Health Care in Winter - શિયાળામાં ચ્યવનપ્રાશ ખાવાથી કેવી થશે અસર ?
શિયાળાના દિવસોમાં ચ્યવનપ્રાશ ખાવાથી શુ ફાયદો થશે ?
webdunia
ચ્યવનપ્રાશથી આપણી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. તેનાથી હિમોગ્લોબિન વધે છે.
જૂની ઉધરસ, શરદી, ઉધરસ, ફ્લુ અને કફ થઈ જતા ચ્યવનપ્રાશ ફાયદાકારક છે. તેનાથી આપણું પાચનતંત્ર મજબૂત બને છે.
મગજની પ્રવૃત્તિમાં વધારો કરે છે અને એકાગ્રતા વધારે છે. તેનાથી માનસિક તણાવ ઓછો થાય છે.
આ સફેદવાળને પણ કાળા કરવાની ક્ષમતા રાખે છે. તેનાથી નખ પણ મજબૂત થાય છે.
બાળકોમાં થનારી સમસ્યાઓ ફક્ત ચ્યવનપ્રાશથી દૂર થઈ શકે છે. શરીરમાં ગરમાવો પેદા કરી ઠંડીના દુષ્પ્રભાવોથી બચાવે છે.
મહિલાઓ માટે ચ્યવનપ્રાશ લાભકારી છે. તેનુ નિયમિત સેવન કરવાથી માસિક ધર્મ સાથે જોડાયેલી સમસ્યાઓ દૂર થાય છે.
આ શરીરના આંતરિક અંગોની સફાઈ સુધી હાનિકારક તત્વોને બહાર કાઢવામાં મદદ કરે છે.