દૂધ સાથે ભૂલથી પણ ન ખાશો આ 7 વસ્તુ

દૂધને પોષણનો સારો સ્ત્રોત માનવામાં આવે છે, પરંતુ તમારે અમુક ખોરાક સાથે તેનું સેવન કરવાનું ટાળવું જોઈએ. અહીં અમે તે 7 વસ્તુઓ વિશે બતાવી રહ્યા છીએ જેની સાથે તમારે દૂધનું સેવન ન કરવું જોઈએ.

PR

દહી - આયુર્વેદ મુજબ દૂધ સાથે ક્યારેય દહીનુ સેવન ન કરવુ જોઈએ તેનાથી તમારા પેટ સંબંધિત તકલીફ થઈ શકે છે.

ખાટા ફળો: દૂધની સાથે ખાટા ફળોનું સેવન પણ ટાળવું જોઈએ. દૂધ અને ખાટાં ફળનું એકસાથે સેવન કરો છો તો તેનાથી પેટમાં દુખાવો અને ઉલ્ટી થઈ શકે છે. બે કલાક પછી જ દૂધ પીવો

ગોળ: ગોળ અનેક રીતે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. પરંતુ આયુર્વેદમાં દૂધ અને ગોળનું એકસાથે સેવન કરવું નુકસાનકારક માનવામાં આવે છે. તેનાથી તમારું પેટ ખરાબ થઈ શકે છે.

ગોળ: ગોળ અનેક રીતે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. પરંતુ આયુર્વેદમાં દૂધ અને ગોળનું એકસાથે સેવન કરવું નુકસાનકારક માનવામાં આવે છે. તેનાથી તમારું પેટ ખરાબ થઈ શકે છે.

સ્પાઈસી ફૂડઃ જો તમે વારંવાર દૂધ સાથે મસાલેદાર ભોજનનું સેવન ન કરશો કારણ કે આનાથી એસિડ રિફ્લક્સ થવાની સાથે-સાથે અપચોનો પણ ખતરો રહે છે.

ચટપટો નાસ્તો: ચિપ્સ જેવા મીઠાવાળા નાસ્તા સાથે દૂધ પીવાની ભૂલ ન કરો. કારણ કે તેમાં ઘણું મીઠું વધુ હોય છે, જે શરીરમાં ઇલેક્ટ્રોલાઇટ સંતુલનને અવરોધી શકે છે.

પ્રોટીનથી ભરપૂર વસ્તુ - દૂધમાં પહેલથી જ ભરપૂર માત્રામાં પ્રોટીન રહેલુ છે, આવામાં જો તમે પ્રોટીનવાળી વસ્તુઓ દૂધ સાથે લેશો તો તમારા પાચનતંત્ર પર ભાર આવશે અને તમને પેટની તકલીફ ઉભી થશે