તળેલો ખોરાક ખાવાના નુકશાન

તળેલુ કે ડીપ ફ્રાઈંગ ફૂડ આપણે જે કેલરી ઈનટેક કરીએ છીએ તેની સંખ્યામાં વધારો કરે છે. અમુક પ્રકારના તેલમાં તળવું સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. આવો જાણીએ કે તે કેવા પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓ ઉભી કરે છે.

photo credit - instagram

જ્યારે ખોરાકને તેલમાં તળવામાં આવે છે ત્યારે તે તેનુ નેચરલ પાણી ગુમાવે છે અને ચરબી શોષી લે છે, જે તેની કેલરીના પ્રમાણને વધારે છે.

તળેલા ખોરાકમાં સામાન્ય રીતે ટ્રાન્સ ચરબીનું પ્રમાણ વધુ હોય છે અને તે સ્વાસ્થ્ય માટે સારું નથી.

તળેલો ખોરાક ખાવાથી રોગ થવાનો ખતરો વધી જાય છે.

તળેલો ખોરાક ખાવાથી હાઈ બ્લડ પ્રેશર, લો ગુડ કોલેસ્ટ્રોલ, મેદસ્વીતા અને હૃદય રોગ થઈ શકે છે.

ઘણા અભ્યાસોમાં જાણવા મળ્યું છે કે તળેલા ખોરાક ખાવાથી ટાઇપ 2 ડાયાબિટીસનું જોખમ વધે છે.

તળેલા ખોરાકમાં હાનિકારક એક્રેલામાઇડ હોઈ શકે છે અને તેને ટાળવું જોઈએ.

આ માહિતી જાગૃતિ માટે આપવામાં આવી છે. વધુ માહિતી માટે તબીબી વ્યાવસાયિકની સલાહ લો.