ગરમીમાં ખાવ શક્કરટેટી, તેના ફાયદા તમને ચોંકાવી દેશે

ઉનાળામાં શક્કર ટેટી ખૂબ મળે છે. જાણો તેના ફાયદા

webdunia

શક્કર ટેટી શરીરમાં પાણીની ઉણપને દૂર કરે છે, તેમા રહેલા વિટામિન્સ અને મિનરલ્સ તેને ઉર્જાવાન રાખે છે.

તે તમારી ત્વચાને હાઇડ્રેટ રાખીને યુવાન રાખે છે.

તેમાં એન્ટીઓક્સીડેન્ટ મળી આવે છે, જે વધતી ઉંમરને રોકવાની સાથે તણાવ ઘટાડવામાં મદદરૂપ છે.

ટેટીનું સેવન રક્તવાહિનીઓમાં લોહી ગંઠાઈ જતુ રોકવામાં અસરકારક છે. તેનાથી હાર્ટ એટેકની શક્યતા ઓછી થઈ જાય છે.

શક્કર ટેટીમાં રહેલા વિટામિન એ અને બીટા કેટરીન તમારી આંખો, ત્વચા અને વાળ માટે ખૂબ જ લાભકારી છે.

ભરપૂર ફાઈબર, ઓછી શર્કરા અને ભરપૂર પાણીને કારણે આ વજન ઓછુ કરવામાં પણ સહાયક છે.

પાચન સંબંધી સમસ્યાઓ હોય તો ભોજન સાથે શક્કરટેટીનુ સેવન કરવાથી અપચો અને કબજિયાત જેવા રોગ દૂર થાય છે.

શક્કરટેટી પેટમાં ગરમી વધારવાથી રોકે છે અને ગરમીના દુષ્પ્રભાવોથી પણ તમને બચાવશે.

શક્કર ટેટીના પલ્પને ચેહરા પર લગાવવાથી ત્વચાને લાભ થાય છે. તેનાથી ધૂપમાં બળેલી ત્વચા ઠીક થાય છે.