શરદી કે ફ્લુના સંક્રમણથી કેવી રીતે બચી શકો છો ?

શરદી, તાવ, ખાંસી કે ફ્લુના સંક્રમણથી બચવા માટે કરો આ ઉપાય

webdunia

દિવસભર પુષ્કળ પાણી પીવો, પરંતુ ધ્યાન રાખો કે પાણી ઉકાળેલું હોય.

લસણ અને મરચું ખાઓ. લસણ એન્ટીબેક્ટેરિયલ છે અને મરચામાં કેપ્સેસીન હોય છે, જે નાક અને સાઇનસની ભીડને મટાડે છે.

વિટામિન સીથી ભરપૂર ફળો અને શાકભાજીનું સેવન કરો. આહારમાં મશરૂમ, લીંબુ અને મધને સામેલ કરો.

ઝિંકવાળો ખોરાક લો. દાખલા તરીકે આહારમાં રેડ મીટ, ઈંડા, દહીં, આખા અનાજનો સમાવેશ કરો.

ઝિંકવાળો ખોરાક લો. દાખલા તરીકે આહારમાં રેડ મીટ, ઈંડા, દહીં, આખા અનાજનો સમાવેશ કરો.

દરરોજ રાત્રે સૂતા પહેલા હળદરવાળું દૂધ નિયમિતપણે પીવો.

આદુનો એક નાનો ટુકડો લઈને તેમા થોડું મીઠું નાખીને તેનું સેવન કરો.

જો વધુ ઇન્ફેક્શન હોય તો સ્ટીમ લેવાનું શરૂ કરો. જ્યારે પણ તમારું નાક બંધ લાગે ત્યારે સ્ટીમ લો.

દિવસભર હૂંફાળું પાણી પીતા રહો.

ગળામાં ખરાશ અથવા દુ:ખાવો હોય તો ગરમ પાણીના કોગળા કરો