અશ્વગંધાનું આયુર્વેદમાં વિશેષ મહત્વ છે. તે પોટેશિયમ અને કેલ્શિયમથી સમૃદ્ધ છે જે હોર્મોનના ઉત્પાદનમાં મદદરૂપ છે અને ઉર્જા સ્તરમાં વધારો કરે છે. ચાલો જાણીએ બીજા શું લાભ થાય છે
અશ્વગંધા વિટામીન E માં વધારે છે જે પ્રજનન અંગોમાં બ્લડ સર્કુલેશનને સુધારે છે.
અશ્વગંધાને સારું પોષક અને મજબુત બનાવનાર અને પેટની બિમારીઓ માટે ચમત્કારિક ઉપાય કહેવામાં આવે છે.
અભ્યાસમાં દર્શાવ્યું છે કે અશ્વગંધા સ્ત્રીઓમાં બ્રેસ્ટ-ઓવરીના કેન્સરની સારવારમાં મદદ કરી શકે છે.
માનસિક તાણ, સુસ્તી અને અનિદ્રાને અટકાવે છે.
અશ્વગંધા પાવડરમાં એન્ટી ઈન્ફેલેમેટરી ગુણધર્મો હોય છે તેથી તે અસરકારક પેઇન કિલર તરીકે કામ કરે છે.
અશ્વગંધાનો પાવડર ખાવાથી સાંધાના દુખાવાથી પરેશાન લોકોને આરામ મળે છે.
અભ્યાસમાં બતાવ્યું છે કે અશ્વગંધાનો પાવડર લેવાથી સ્ત્રી અને પુરુષની અનેક સમસ્યાઓમાં રાહત મળે છે.
નોંધ: ટીપ્સને અનુસરતા પહેલા તબીબી વિશેષજ્ઞની સલાહ લો.