પેપરમા રોટલી લપેટીને ખાવાના જાણી લો નુકશાન, જમવાનુ બની જશે ઝેર

છાપામાં રોટલી લપેટીને ટિફિનમાં મુકો છો કે ખાવા આપો છો તો જાણી લો તેના નુકશાન.

social media

તાજેતરમાં જ ભારતીય ખાદ્ય સંરક્ષા અને માનક પ્રાધિકરણ (FSSAI) એ આ વિષય પર ચેતાવણી રજુ કરી છે

FSSAI ના મુજબ છાપામાં ખાવાનુ મુકવુ કે લપેટવી તમારા આરોગ્ય માટે ખૂબ હાનિકારક છે.

છાપાની ઈંકમાં અનેક બાયોએક્ટિવ મટેરિયલ હોય છે જે તમારા આરોગ્ય માટે નુકશાનદાયક છે.

આ સાથે જ છાપાની ઈંકમાં અનેક કેમિકલ પણ સામેલ હોય છે જે તમારા ખોરાકને ઝેર બનાવે છે.

ખોરાકને પેપરમાં લપેટીને ક્યારેય ન રાખો. ખાસ કરીને છાપામાં ગરમ ​​ખોરાક મુકવાનુ અને લપેટવાનુ ટાળવું જોઈએ.

રોટલીને છાપામાં લપેટવાથી તે ઝેરી બની જાય છે અને પેટ ખરાબ થઈ શકે છે. પેટમાં ઈન્ફેક્શનની સમસ્યા થઈ શકે છે.

છાપામાં ખોરાક આપવો એ વૃદ્ધો, કિશોરો, બાળકો અને કોઈપણ રોગથી પીડિત લોકો માટે ખૂબ જોખમી સાબિત શકે છે.

અખબારમાં રાખેલો ખોરાક ખાવાથી આંખોની રોશની ગુમાવવાનો પણ ભય રહે છે. આ ઉપરાંત પાચનતંત્ર પણ નબળું પડી જાય છે.