મસાલા અસલી છે કે નકલી ? આ રીતે પારખો

કેવી રીતે જાણશો મસાલામાં ભેળસેળ છે ? જો તમે નકલી મરચા અને મસાલા ખાશો તો શું થશે? જાણો

webdunia

મરચાંના પાવડરમાં લાલ રંગ, ભૂસી, ઈંટનો ભૂકો, રેતી અને રોડામાઈનની મિલાવટ કરવામાં આવે છે

નકલી મરચું યકૃત, કીડની અને લીવર માટે હાનિકારક છે. તેનાથી પથરી થાય છે.

એક ગ્લાસ પાણીમાં એક ચમચી મરચું મિક્સ કરો. જો તેમાં ભેળસેળ હશે તો પાણીનો રંગ લાલ થઈ જશે. જો ઈંટ અને રેતીની મિલાવટ હશે તો તે તળિયે બેસી જશે

અન્ય મસાલામાં લાકડાંઈ નો વહેર, રંગ, કાંકરા, પથ્થર, માટી અને રેતી ભેળવવામાં આવે છે.

ભેળસેળવાળો મસાલો ખાવાથી પાચનતંત્ર, અન્નનળી , આહારતંત્ર, આંતરડા અને દાંતના ગંભીર રોગો થાય છે.

ભેળસેળવાળો મસાલો પાણીમાં ઓગળતા જ તેનો રંગ અને અનિચ્છનીય તત્વો અલગ થઈ જાય છે.

અસલી મસાલામાં તીવ્ર સુગંધ હોય છે અને ઉપરોક્ત રીતે તેનું પરીક્ષણ કરી શકાય છે