મચ્છર મારવાનું લિકવીડ(ઓલ આઉટ) કેટલીવાર સુધી ચાલુ રાખવું જોઈએ ?

મચ્છર ભગાડનાર લિકવીડનો ઉપયોગ સામાન્ય રીતે દરેક ઘરમાં થાય છે. પરંતુ ઘણા લોકો તેને આખી રાત સળગાવી રાખે છે, ચાલો જાણીએ તેને બાળવાનો યોગ્ય સમય...

social media

મચ્છર ભગાડનાર લિકવીડમાં વેપરાઈઝિન્ગ કેમિકલ હોઈ શકે છે.

આ રસાયણ શ્વાસ લેવા માટે સલામત નથી અને તેનાથી શ્વાસની બીમારી થઈ શકે છે.

વિવિધ ઉત્પાદનોમાં વિવિધ પ્રકારના રસાયણો હોય છે.

મચ્છર ભગાડનાર લિકવીડને 2 થી 3 કલાક સુધી બાળવું જોઈએ.

ધ્યાનમાં રાખો કે તમારે તેનો ઉપયોગ સૂતા પહેલા કરવો જોઈએ, સૂતી વખતે નહીં.

અસ્થમા, ન્યુમોનિયા અથવા ફેફસા સંબંધિત સમસ્યાઓથી પીડિત લોકોએ તેનો ઉપયોગ ન કરવો જોઈએ.

તેના રસાયણો ફેફસાને અસર કરી શકે છે.

સાથે જ નાના બાળકોને પણ લિકવીડથી દૂર રાખવા જોઈએ.