આ લોકોએ ભૂલથી પણ ન ખાવા જોઈએ આમળા

આ 6 બીમારીવાલા લોકોએ આમળા ન ખાવા જોઈએ નહી તો થશે નુકશાન

webdunia

હાયપર એસીડીટી હોય તો આમળા ખાલી પેટ ન ખાવા જોઈએ, તેનાથી પેટમાં બળતરા થઈ શકે છે.

જે લોકો કોઈ પણ પ્રકારની બ્લડ ડિસઓર્ડરથી પીડિત હોય તેમના માટે આમળા સારો વિકલ્પ નથી.

જેમણે કોઈપણ પ્રકારની સર્જરી કરાવી હોય અથવા કરાવવાની હોય તેઓએ આમળા ખાવાનું ટાળવું જોઈએ.

લો બ્લડ પ્રેશરની સમસ્યાથી પીડિત લોકોએ આમળાનુ સેવન ન કરવુ જોઈએ.

જે મહિલાઓ ગર્ભવતી હોય અથવા સ્તનપાન કરાવતી હોય તેઓએ ડૉક્ટરની સલાહ લીધા પછી જ આમળાનું સેવન કરવું જોઈએ.

જો ડ્રાય સ્કૅલ્પ અથવા ડ્રાય સ્કિનની સમસ્યા હોય તો આમળા વધુ ખાવાથી આ સમસ્યા વધી શકે છે.

કોઈપણ પ્રકારની દવા લેનારાઓએ ડૉક્ટરની સલાહ લીધા પછી જ આમળા ખાવા જોઈએ.