Nirjala Ekadashi - નિર્જલા એકાદશી વ્રત કરવાના 7 ફાયદા
નિર્જલા અગિયારસના દિવસે અન્ન અને જળ ગ્રહણ કરવામાં આવતુ નથી, જાણો આ વ્રતને કરવાના 7 ફાયદા વિશે..
webdunia
પદ્મપુરાણમાં નિર્જલા એકાદશીનુ વ્રત કરવાથી બધા મનોરથ સિદ્ધ થવાની વાત કરવામાં આવી છે.
આ અગિયારસનુ વ્રત વિધિપૂર્વક કરવાથી બધી એકાદશીઓના વ્રતનુ ફળ મળે છે.
આ એકાદશીનું વ્રત વિધિવત રીતે કરવાથી તમામ પ્રકારના રોગોનો નાશ થાય છે.
નિર્જલા એકાદશીનું વ્રત કરવાથી ચંદ્ર દોષ દૂર થાય છે, જેનાથી મનને શાંતિ મળે છે.
નિર્જલા એકાદશીનું વ્રત કરવાથી અને શ્રી હરિ વિષ્ણુની વિધિવત પૂજા કરવાથી વ્યક્તિને તમામ પાપોમાંથી મુક્તિ મળે છે.
નિર્જલા એકાદશીનું વ્રત કરવાથી શારીરિક શક્તિની પ્રાપ્તિ થાય છે.
નિર્જલા એકાદશીનુ વ્રત કરવાથી ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, ચારેય પુરૂષાર્થોની પ્રાપ્તિ થાય છે.