કેમ માને છે કાગડાને પિત્તર, જાણો રહસ્ય

આપણે સૌ શ્રાદ્ધ પક્ષમાં કાગડાને જમાડીએ છીએ. તો જાણો શ્રાદ્ધ પક્ષમાં કાગડાનુ કેમ છે આટલુ મહત્વ

કાગડાને મહેમાનના આગમનનો સંકેત અને પૂર્વજોનું આશ્રમ સ્થળનો માનવામાં આવે છે.

પૌરાણિક કથાઓ અનુસાર, કાગડાએ અમૃતનો સ્વાદ ચાખ્યો હતો, તેથી તેનું મૃત્યુ એક રહસ્ય છે. તે અકસ્માતમાં મૃત્યુ પામે છે.

જે દિવસે કાગડો મૃત્યુ પામે છે તે દિવસે તેનો કોઈ પણ સાથી ખોરાક ખાતો નથી.

ભવિષ્યમાં થનારી ઘટનાઓ વિશે કાગડાઓને પહેલેથી જ ખબર હોય છે.

શાસ્ત્રો મુજબ કોઈપણ ક્ષમતાવાન આત્મા કાગડાના શરીરમાં સ્થિત થઈને વિચરણ કરી શકે છે.

કાગડાને ભોજન કરાવવાથી પિતૃ અને કાળસર્પ દોષ દૂર થાય છે અને સાથે જ પિતૃ તૃપ્ત થાય છે.

કાગડો થાક્યા વગર મીલો સુધી ઉડી શકે છે.

સફેદ કાગડો પણ હોય છે પણ તે ખૂબ જ દુર્લભ છે.