શુ છે નવરાત્રી વ્રતના નિયમ ?

જો તમે નવરાત્રીના ઉપવાસ કરવાના છો તો જરૂર જાણી લો આ નિયમ, નહી તો ઉપવાસનુ ફળ નહી મળે

webdunia

નવરાત્રિ દરમિયાન રાસોપવાસ, ફલોપવાસ, દુગ્ધોપવાસ, લઘુ ઉપવાસ, અધોપવાસ અને પૂર્ણોપવાસ કરવામાં આવે છે.

webdunia

અધોપવાસ એટલે એક સમયે ભોજન લેવામાં આવે છે, તે પણ સૂર્યાસ્ત પહેલા. બાકીના સમયે માત્ર પાણી પીવામાં આવે છે.

webdunia

પૂર્ણોપવાસ એટલે ફક્ત ચોખ્ખુ તાજુ પાણી સિવાય બીજું કશું ન ખાવું તેને પૂર્ણોપવાસ કહેવાય છે.

webdunia

એક જ સમયે ભોજન અને એક સમય સાબુદાણાની ખીચડી ખાઈ લેવાથી ઉપવાસ થતો નથી.

webdunia

બંને સમયે સાબુદાણાની ખીચડી કે રાજગીરાના લોટની રોટલી અને ભીંડાનુ શાક ખાવું એ પણ ઉપવાસ નથી.

webdunia

આ નવ દિવસોમાં આલ્કોહોલ, માંસાહાર અને મસાલેદાર ખોરાક ન લેવો જોઈએ.

webdunia

આ નવ દિવસોમાં સ્ત્રી સાથે સુવુ, ક્રોધ કરવો અને કોઈપણ ખરાબ કાર્ય કરવુ વર્જિત છે.

webdunia

આ નવ દિવસોમાં કોઈપણ રીતે કોઈ મહિલા કે કન્યાનુ અપમાન ન કરશો.

webdunia

આ લેખ ફક્ત તમારી જાણકારી માટે છે, તમે તમારી શ્રદ્ધા મુજબ વ્રત ઉપવાસ કરી શકો છો.