શુ છે શ્રાદ્ધની 16 તિથિઓનુ મહત્વ

શ્રાદ્ધ પક્ષમાં પૂર્ણિમા અને અમાવસ્યા સહિત 16 શ્રાદ્ધ પક્ષમાં પૂર્ણિમા અને અમાસ સહિત 16 તિથિઓ હોય છે. જાણો કંઈ તિથિનુ શુ છે મહત્વ

webdunia

પૂર્ણિમા શ્રાદ્ધ ઋષિઓ અને ગુરુઓ માટે પણ કરવામાં આવે છે, જેને પ્રોષ્ટપદી પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે.

પ્રતિપદાના દિવસે તે નાના-નાનીનું શ્રાદ્ધ પણ કરવામાં આવે છે જેમનું શ્રાદ્ધ કરનારુ કોઈ નથી.

એવું કહેવાય છે કે જેમનું અકાળે મૃત્યુ થયું હોય તેમનુ શ્રાદ્ધ પણ ચતુર્થીના દિવસે કરી શકાય છે.

જેઓ અવિવાહિત અવસ્થામાં મૃત્યુ પામ્યા હોય તેમનુ શ્રાદ્ધ પંચમી તિથિએ કરવામાં આવે છે.

નવમી તિથિ પર સૌભાગ્યવતી સ્ત્રી, માતા કે એવી સ્ત્રીઓનું શ્રાદ્ધ કરી શકાય જેમના મૃત્યુની તારીખ ખબર ન હોય

સંન્યાસ લેનારા લોકોનુ શ્રાદ્ધ એકાદશી અને દ્વાદશી તિથિ પર કરવાની પરંપરા છે.

ત્રયોદશી તિથિ પર બાળકોનું શ્રાદ્ધ કરવામાં આવે છે.

ચતુર્દશીના દિવસે અકાળે મૃત્યુ પામેલા લોકોનું શ્રાદ્ધ કરવામાં આવે છે.

સર્વપિતૃ અમાવસ્યા પર તમામ જાણતા-અજાણતા પૂર્વજો માટે શ્રાદ્ધ કરવાની પરંપરા છે.