મહારાષ્ટ્રમાં ક્યા છે અષ્ટવિનાયક મંદિર
મહારાષ્ટ્રમાં પુણેની નિકટ ગણેશજીના 8 પવિત્ર અને પ્રાચીન મંદિર છે. જેને અષ્ટવિનાયક કહેવામાં આવે છે.
webdunia
મયુરેશ્વર કે મોરેશ્વર મંદિર પુણે - પુણેથી 75 કિમી દૂર ગણેશજીએ અહી સિંધુરાસુરનો વધ મોર પર સવાર થઈને કર્યો હતો.
સિદ્ધિવિનાયક મંદિર, અહમદનગર - ભીમા નદી પાસે પર્વત પર સ્થિત આ સ્થાન પર વિષ્ણુજીએ સિદ્ધી પ્રાપ્તિ કરી હતી.
બલ્લાલેશ્વર મંદિર, પાલી : કુલાબા જીલ્લાના પાલી નામના સ્થાન પર ભક્ત બલ્લાલના નામે આ મંદિરનુ નામ મુકવામાં આવ્યુ છે.
વરદવિનાયક મંદિર, રાયગઢ : રાયગઢના કોલ્હાપુર નામના સ્થાન પર વરદવિનાયક વિરાજમાન છે. જે મનોકામના પૂર્ણ કરે છે.
ચિંતામણી - ચિંતામણિ મંદિર, પુણે: આ મંદિરની સ્થાપના ભક્ત મોર્યા ગોસાવી દ્વારા પુણે શહેરથી 25 કિમી દૂર થેઉર ગામમાં કરવામાં આવી હતી.
ગિરિજાત્મજ મંદિર, પુણે : આ મંદિર પૂણેથી લગભગ 100 કિમી દૂર લેન્યાદ્રી ગામમાં એક પર્વત પર આવેલું છે.
વિઘ્નેશ્વર મંદિર, ઓઝર: ગણેશજીએ પુણેથી લગભગ 85 કિમી દૂર ઓઝર જિલ્લાના જુનાર વિસ્તારમાં વિઘ્નાસુરનો વધ કર્યો હતો.
મહાગણપતિ મંદિર, રાજણગાંવ : પુણેથી 55 કિમી દૂર રાજણગાંવમાં આવેલા મંદિરના ગણેશને મહોત્કટના નામથી પણ ઓળખવામાં આવે છે.