શુક્રવાર, 29 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. ઘરની શોભા
Written By
Last Updated : ગુરુવાર, 13 એપ્રિલ 2017 (16:14 IST)

Tips- સીટી વાગતા કુકરમાંથી પાણી બહાર નીકળે તો.......

ઘણીવાર તમે જોયુ હશે કૂકરમાં દાળ રાંધતી વખતે જ્યારે સીટી વાગે છે તો પાણી બહાર નીકળી જાય છે. જેને કારણે ઘણીવાર ગેસ બંધ થઈ જાય છે અથવા તો ધ્યાન ન આપતા દાળ ચોંટી જવાનો ભય રહે છે.   જો તમે પણ આ સમસ્યાથી પરેશાન છો તો અજમાવો આ કારગર ટિપ્સ 
ટિપ્સ
- દાળ કે ચોખા રાંધતી વખતે ધીમા તાપ પર જ મૂકવું જેથી વરાળ સારી રીતે બની શકે. 
- જો તમે પાણીમાં થોડું ઘી નાખી દેશો તો સીટી વાગતા પાણી બહાર નહી આવે.  
- પાણીના યોગ્ય અંદાજ પર જરૂર ધ્યાન આપો. પાણી યોગ્ય માત્રામાં રહેશે તો બહાર નહી નીકળે અને દાળ પણ સારી રીતે બફાય   જશે. 
-  જો તમનેપાતળી દાળ ખાવી પસંદ છે તો દાળને એકવાર રાંધ્યા પછી પણ તેમાં પાણી મિક્સ કરી હળવુ ઉકાળી શકો છો. ચિંતા ન કરવી સ્વાદમાં અંતર નહી આવે નહી.