શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. શ્રાદ્ધ પક્ષ
Written By
Last Modified: મંગળવાર, 27 સપ્ટેમ્બર 2016 (14:00 IST)

30 સપ્ટેમ્બરના રોજ અમાસના દિવસે કરશો આ ઉપાય તો ઘરમાં ક્યારેય પૈસાની તંગી નહી રહે

શુક્રવાર 30 સપ્ટેમ્બર 2016ના રોજ પિતૃમોક્ષ અમાવસ્યા છે. આ તિથિ પર પિતરો માટે તર્પણ કરવ સાથે જ અહી બતાવવામાં આવી રહેલ ઉપાય પણ કરશો તો તમારી બધી સમસ્યાઓ દૂર થઈ શકે છે. ઘર-પરિવારમાં સુખ સમૃદ્ધિ વધશે અને વાતાવરણ સકારાત્મક બનશે.  જાણો શુક્રવારે કયા ક્યા ઉપાય કરી શકાય છે. 
 
-  ભગવાન વિષ્ણુના મંદિરમાં ધ્વજ લગાવડાવો. આ ઉપાયથી વિષ્ણુ સાથે જ મહાલક્ષ્મીની પણ કૃપા મળશે. 
 
-  કોઈ તળાવમાં ઘઉંના લોટની ગોળીઓ બનાવીને માછલીઓને ખવડાવો 
 
-  કોઈ મંદિરમાં અનાજનુ દાન કરો. ઝાડુનું દાન કરો. બ્રાહ્મણને ભોજન કરાવો 
 
- અમાસ તિથિ પર શનિદેવ માટે તેલનુ દાન કરો.  સાથે જ કાળા અડદ, કાળા તલ, લોખંડ, કાળા કપડા વગેરેનું પણ દાન કરી શકો છો. 
 
-  એક લીંબુ લો અને તેના ચાર ટુકડા કરો. ત્યારબાદ કોઈ ચાર રસ્તા પર ચારેય દિશાઓમાં એક એક ટુકડો ફેંકી દો. તેનાથી ખરાબ નજરની અસર ખતમ થઈ શકે છે. 
 
-  શિવલિંગ પર કાળા તલ ચઢાવો, દૂધ ચઢાવો અને જળ ચઢાવો 
 
-  અમાસના દિવસે ગુસ્સો ન કરો.  ઘરમાં ઝગડો ન કરશો. કોઈપણ પ્રકારનુ અનૈતિક કામ ન કરશો. 
 
- અમાવસ્યાનો દિવસ પિતર દેવતાઓ માટે વધુ મહત્વનો છે.  આ દિવસે પિતરોના નિમિત્તે દૂધનુ દાન કોઈ ગરીબ વ્યક્તિને આપો. 
 
-  પીપળ પર જળ ચઢાવો.  ત્યારબાદ પરિક્રમા કરો.  આ ઉપાયથી શનિ, રાહુ અને કેતુના દોષ દૂર થઈ જાય છે. 
 
- હનુમાનજીને લાડુનો ભોગ ચઢાવો. હનુમાન ચાલીસાનો પાઠ કરો.