તમારુ ઘર જો વર્ષોથી બંધ પડ્યુ છે તો ઘરમાં આવે છે નેગેટિવ એનર્જી
જો તમારુ કોઈ જુનુ કે પૈતૃક ઘર વર્ષોથી બંધ પડ્યુ હોય તો એ પણ તમારે માટે ઠીક નથી. આવા બંધ પડેલા ઘર નેગેટિવ એનર્જીના રિસિવર બની જાય છે. આવી સ્થિતિને વધુ સમય સુધી ન રહેવા દેવી જોઈએ. આ માટે આ ઉપાયો અપનાવો.
- આખુ ઘર ખાલી હોય તો આવી સ્થિતિમાં આખા ઘર કે તેના કેટલાક ભાગને ભાગેથી આપી દેવુ જોઈએ. તેમા મોડુ ન કરશો.
- ખાલી રહેવાની સ્થિતિમાં ત્યા સાફ સફાઈ થતી રહે અને સાંજના સમયે લાઈટ પ્રગટે એવી વ્યવસ્થા કરવી જોઈએ.
- જો મકાન જર્જર સ્થિતિમાં થઈ ગયુ હોય અને તમે હાલ તેનુ નવુ નિર્માણ કરવા નથી માંગતા તો પણ આવા મકાનને ડિસમેંટલ કરી દો અને પ્લોટની સફાઈ કરાવી દો.