ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By
Last Modified: બુધવાર, 24 જુલાઈ 2019 (00:29 IST)

વાસ્તુ ટિપ્સ - સંતાન પ્રાપ્તિ માટે વાસ્તુના આ ઉપાય અજમાવી જુઓ

માતા પિતા માટે સંતાન સુખ દુનિયાનુ સૌથી મોટુ સુખ હોય છે.  સંતાન પ્રાપ્તિ માટે વાસ્તુમાં કેટલાક ઉપાય બતાવ્યા છે. આવો જાણીએ આ ઉપાયો વિશે.. 
 
-  સંતાન પ્રાપ્તિ માટે પતિ-પત્ની બંનેયે લાલ ગાય અને વાછરડાની સેવા કરવી જોઈએ.
-  ચાંદીની વાંસળી રાધા-કૃષ્ણના મંદિરમાં પતિ પત્નીએ બંનેયે મળીને ગુરૂવારે અર્પિત કરવી. 
-  ઘરમાં ભગવાન શ્રીકૃષ્ણના બાળ સ્વરૂપનું ચિત્ર લગાવો.  ભગવાન શ્રીકૃષ્ણની પૂજાથી સંતાન પ્રાપ્તિનો આશીર્વાદ પ્રાપ્ત થાય છે. 
- ગુરૂવારે ગોળનુ દાન કરવાથી પણ સંતાન સુખ પ્રાપ્ત થાય છે.   
- ગુરૂવારના દિવસે ગરીબોમાં ગોળ વહેંચો. રોજ પશુઓને ભોજન ખવડાવો 
- રોજ પશુઓને ભોજન ખવડાવો 
- રાત્રે સૂતી વખતે તમારા માથા પાઅસે જળનુ પાત્ર ભરીને મુકો અને સવારે આ  જળને ઝાડ છોડમાં નાખી દો. 
- એવુ કહેવાય છે કે સંતાન સુખ મેળવવા માટે તમારા પથારીમાં લીલા રંગની વાંસળીને છિપાવી રાખો. આવુ કરવાથી સંતાન પ્રાપ્તિની મનોકામના પુર્ણ થાય છે. 
-સંતાન સુખમાં અવરોધ આવતા બેડરૂમમં હાથીનુ ચિત્ર કે પ્રતિમા મુકો. 
- પત્નીએ હંમેશા પતિના ડાબી બાજુ સુવુ જોઈએ. 
- જો સંતાનનો જન્મ થઈ જાય તો મીઠાઈમાં અંશમાત્ર મીઠુ પણ નાખો. 
- સ્કંદ માતાના પૂજનથી માતૃત્વ સુખ પ્રાપ્ત થાય છે.