Vastu Tips for the Main Entrance Door | ઘરનો દરવાજો કંઈ બાજુ યોગ્ય?
P.R |
* દરવાજાની સામે રસ્તો ન હોવો જોઈએ નહિતર ગૃહસ્વામીની ઉન્નતિ નહિ થાય.
* ઘરના દરવાજાની સામે ઝાડ હશે તો બાળકો બિમાર રહે છે.
* ઘરના દરવાજાની સામે પાણી વહેતુ હશે તો ધનની હાનિ થાય છે.
* દરવાજાની સામે મંદિર હોય તો ઘરમાં ક્યારેય સુખ નહિ મળતું નથી.
* ઘરના દરવાજાની સામે જ સ્તંભ (થાંભલો) હશે તો સ્ત્રી હાનિનો ભય રહે છે.
* જો મુખ્ય દરવાજો એક હોય તો પુર્વ દિશામાં રાખો અને જો બે દરવાજાવાળો પ્રવેશદ્વાર હોય તો પુર્વ અને પશ્ચિમમાં રાખો.
* જમીનની તુલનામાં ઘરનો દરવાજો નીચો હોય તો ઘરના પુરૂષો વ્યસનાસિક્ત અને દુ:ખી રહે છે.
* ઘરની આગળ રસ્તો હોય તો ઘરની ઉંચાઈથી ડબલ જગ્યા છોડવાથી દોષ નથી લાગતો.
* જો કોઈ રસ્તો તમારા ઘર અને બિલ્ડિંગથી વળીને નીકળતો હોય કે પછી તમારી બિલ્ડિંગ સુધી આવીને સમાપ્ત થઈ જતો હોય તો તે શુભ છે.
* ઘરનો મુખ્ય દરવાજો હંમેશા અન્ય દરવાજાઓ કરતાં મોટો હોવો જોઈએ.