વાસ્તુશાસ્ત્ર મુજબ બ્રહ્મ સ્થાન
W.D
જૂના જમાનામાં ઘરના મધ્યભાગમાં ખુલ્લુ આંગણુ વાસ્તવમાં બ્રહ્મસ્થાન જ રહેતુ હતુ. પરંતુ આજકાલ શહેરોમાં જગ્યાની કમીને કારણે આ સ્થાનને સંપૂર્ણ રીતે ખાલી છોડવુ શક્ય નથી બની શકતુ. છતાં એટલુ તો ધ્યાન રાખવુ જ જોઈએ કે આ સ્થાન પર કોઈ દિવાલ કે બાથરૂમ કે કિચન, કે કોલમ ન હોય . સાથે સાથે આ જગ્યાએ કોઈ વધુ વજનવાળો સામાન પણ ન રાખવો જોઈએ. બ્રહ્મસ્થાનનો ઉપયોગ પરિવારના સભ્યો માટે બેસીને વાતચીત કરવા માટે કે કોઈ ધાર્મિક અનુષ્ઠાન જેવા કે યજ્ઞ, હવન વગેરેના માટે કરવો જોઈએ.