એમની આ વિદ્યા વિશે જાણકારી મેળવવા અમે એવા વ્યક્તિઓની શોધ આરંભી જેમણે એમની જોડે ઈલાજ કરાવ્યો હોય. શોધખોળ કરતાં અમારી મુલાકાત થઈ સાપનાં ડંખથી ઘાયલ થયેલા "સરમન ગોયલ' સાથે. એક અધ્યાપક તરીકે ફરજ બજાવતાં શ્રી સરમનજી એ બતાવ્યું કે મને આવી વાતો પર જરા પણ વિશ્વાસ નહોતો. એક સવારે કચરો વાળતાં મને સાપ કરડી ગયો. સાપ ડંખના ખુંચાવાથી મેં ગભરાઈને તેની પૂંછડી પર પગ મૂકી દીધો. તો સાંપે મારા બીજા પગ પર પણ ડંખ માર્યો. હું દોડતો-દોડતો ભગવતજી પાસે ગયો. તેમને મંત્ર ફૂક્યો અને થોડી જ વારમાં ઝેરની બળતરા દૂર થઈ ગઈ. આજે હું સાંજો-માજો છુ તો ભગવતજીની કૃપાથી.
ફોટો ગેલેરી જોવા અહીં ક્લીક કરો.
સરમતજી એકલાજ નહિ આવા તો કેટલાય પીડિતો છે જેમનો વિશ્વાસ છે કે ભાગવતજી પોતાની મંત્ર શક્તિ દ્વારા સર્પદંશ નો ઈલાજ કરે છે. યમરાજના લેખપાલ ચિત્રગુપ્તની જેમ ભાગવતજીએ જેનો પણ ઈલાજ કર્યો છે તેનુ નામ એક રજિસ્ટારમાં લખી રાખ્યું છે. આજે તેમની પાસે આવા ત્રણ રજિસ્ટાર છે.
ભાગવતજી દરેક કામ ઈશ્વરના નામ પર કરે છે. એટલે ઝેર ઉતારવાના પૈસા લેવા પણ એક પાપ સમજે છે. એમનું કહેવું છે કે તેઓ કશુ નથી કરતાં , કરવાવાળાં તો સાંઈરામ છે.
યશવંત ભાગવતજીની વિદ્યા સાથે જોડાયેલો એક કિસ્સો બતાવીએ છીએ. રાજસ્થાનનાં જમીલ સાહેબ. જમીલજીની એસટીડી-પીસીઓની દુકાન છે.એકવાર એમને ભગવતજીનો નંબર મળ્યો. તેમને તેને અજમાવવા એક સાપ ના ડંખ થી ઘાયલ મહિલાનો ઈલાજ તેમની પાસેથી ફોન પર કરાવ્યો. અહીં જેવો એમણે મંત્ર ફૂક્યોં અને ત્યાં પીડિતાનું દર્દ ગાયબ થઈ ગયુ.
નાગપંચમીના દિવસે જન્મેલા યશંવંતજી આમ તો બવાસીર પાઈલ્સ, સાઈટિકા, પિલિયા જેવી બીમારીઓનો ઈલાજ પણ કરે છે. પણ તેમની ઓળખાણ સાપનું ઝેર ઉતારવાવાળાના રૂપે વધુ છે.
યશવંતજીની આ અનોખી વિદ્યાને માનવાવાળાઓમાં સામાન્ય લોકોની સાથે-સાથે પોલિસવિભાગ પણ સામેલ છે. પોલીસ-વિભાગમાં રિઝર્વ ઈસ્પેકટર ના પદ પર બેસેલ પ્રદીપ સિંહ ચૌહાન પણ પોતાના અનુભવ બતાવતા કહે છે કે પહલા મારા સરકારી મકાન અને રહેઠાણ બંને તરફ લગાતાર સાપ જોવા મળતા હતા. ઘર અને ઓફિસમાં લોકો ભયભીત થવા માંડ્યાં હતા. ત્યારે કોઈએ મને ભાગવતજી વિશે કહ્યું એમના અનુષ્ઠાન કર્યા પછી એમના ઘર અને ઓફિસમાં સાપ નીકળતાં બંધ થઈ ગયા છે.
એક તરફ ભાગવતજીની વિદ્યાનું સન્માન કરવાવાળાં ઘણા લોકો છે. તો બીજી બાજુ કેટલાક લોકો એવા પણ છે જે આ વિદ્યાને પૂરી રીતે નકારે છે. જેમાં સામેલ છે ઈન્દોર સ્થિત મહારાજા યશવંતસિંહ દવાખાનામાં મેડિસિન ડિપાર્ટમેંટના હેડ તરીકે ફર્જ બજાવતાં ડાક્ટર અશોક વાજપેયી
પોતાની વાતને આગળ વધારતા ડૉક્ટર અશોક વાજપેયી નું કહેવુ છે કે અમારા દેશમાં 70% સાંપો એવા છે કે જે ઝેરીલાં હોતાં જ નથી.
કેટલાક લોકોનું મૃત્યુ સાંપના ઝેરથી નહિ પણ તેના કરડવાનાં ભયમાત્રથી થઈ જાય છે. આ કિસ્સામાં પણ એવું બની શકે કે જે સાંપ કરડ્યો હોય તે ઝેરીલો હોય જ નહિ, અથવા તો કાંટો ખુંચાયો હોય અને એવું લાગે કે સાપ કરડ્યો છે. મારું માનવું તો એવુ છે કે સાપ કરડે તો તેનો ઈલાજ કરાવવો જોઈએ ન કે આ રીતની ઝાડ-ફૂંક દ્વારા.
કેટલાંક લોકો ડૉક્ટર સાહેબ ના નિવેદનથી સહમત છે,ત્યાં કેટલાક લોકો એવાં પણ છે જો આને નકારે છે. આમાંથી કેટલાંકનો દાવો છે કે ભાગવતજી એમને મૌતથી છોડાવી લાવે છે. તમારે તમારી શંકાનું નિવારણ કરવું હોય તો આ નંબર 0731-2535534 પર ફોન લગાવો અને કેટલું સાચું છે અને કેટલું ખોટું ખુદ જાણી લો.
ક્યારથી શરુ થઈ આ પરંપરા ?
યશવંતજીનું કહેવું છે કે જડી-બુટ્ટીઓનું જ્ઞાન મને મારી માઁ પાસેથી મળ્યું છે. ઝેર ઉતારવાની પોતાની અનોખી વિદ્યાના વિશે ભાગવતજી કહે છે કે મને આ વિદ્યા મશહૂર તંત્ર શાસ્ત્રી જેલર નૂર ખાઁ સાહેબ પાસેથી મળી છે. સ્વર્ગવાસી જેલર નૂર ખાઁ સાહેબ તંત્ર-શક્તિ વડે મોટી મોટી બીમારીઓ દૂર કરવા માટે જાણીતાં હતા. મુસ્લિમ ગુરુ, અને હિંદુ શિષ્યની જોડી રંગ લાવી. કુરાનનું આરોગ્ય અને દુર્ગા સપ્તશતિનું જ્ઞાન મેળવાયું. યશવંતજી કહે છે કે મેં દુર્ગા કવચ સિધ્ધ કરી લીધુ છે. એમાં કેટલીય બીમારીઓના ઈલાજ વિશે લખવામાં આવ્યું છે. મને જેલર નૂર ખાઁ એ પચ્ચીસ વરસ પહેલાં ઝેર ઉતારવાનો નુસ્ખો બતવ્યો છે. ત્યારથી લઈને આજ સુધી હું આ વિદ્યા દ્વારા હું લોકોનો ઈલાજ ફોન પર કરૂં.
|