જયપુરથી આવેલા એ.કે મોરેની સાથે 75 વર્ષીય શ્રીમતિ ભગવાન દેવી કિડનીની પથરીની સારવાર કરાવવાં આવ્યા હતા. એમને જયપુરમાં સીતાબાઈ વિશે સાંભળ્યું હતું. તેમનું કહેવું હતું કે "આ ઉંમરે વળી ક્યાં ઓપરેશન કરાવવું, એટલે અહીં આવી છું'. તમને કેવો અનુભવ થયો એવું પૂછતાં તે બોલ્યા કે " એક અલગ જ પ્રકારનો ખેંચાવ લાગી રહ્યો હતો. કોઈ દુ:ખાવો નહી થયો. મહિના પછી ફરી આવવાનું કહ્યું છે. એના પછી સોનોગ્રાફી કરવાની કહી છે. જોઈએ હવે શુ થાય છે.'
ફોટો ગેલેરી જોવા અહીં ક્લીક કરો...
ભગવાન દેવી ની જેમ ઘણાં લોકો હતા જે અહીં પહેલીવાર આવ્યાં હતાં. તો કેટલાક લોકો બીજીવાર આવ્યાં હતા. જે બીજીવાર આવ્યાં હતાં તેમને પૂછતાં જાણવા મળ્યું કે તેમને દર્દમાં ખૂબ રાહત મળી છે. એવા જ એક વ્યક્તિ મનોજનું કહેવું હતું કે હવે હું ગ્વાલિયર જઈને અલ્ટ્રાસાઉંડ કરાવીને જોઈશ ત્યારે ખબર પડશે કે પથરી છે કે નહીં.
એક તરફ અમે લોકો સાથે વાતચીત કરી રહ્યાં હતાં ત્યાં બીજી તરફ સીતાબાઈ સતત પથરી કાઢવાનું કામ કરી રહી હતી. અમારી વાતચીત પૂરી થતાં અમે સીતાબાઈની રાહ જોવા લાગ્યાં. પણ આ શું ! જેવો તેમનાં છેલ્લા દર્દીની સારવાર પૂરી થતાં જ તેમનો વ્યવહાર બદલાઈ ગયો. થોડીવાર પહેલા જે મહિલા અમારી સાથે ગુસ્સાથી વાત કરી રહ્યાં હતાં. તે હવે સાઘારણ દાદી-નાનીની જેમ વાત કરવા માંડ્યાં. અમે તેમને પૂછ્યું કે તમે આ કામ કેટલા વર્ષથી કરી રહ્યા છો. તેમણે અનોખો જવાબ આપ્યો. " હું કશું નથી કરી રહી જે કરી રહ્યાં છે એ તો માતાજી કરી રહ્યાં છે. હું કેવી રીતે સારવાર કરૂં છું એ તો હું પણ નથી જાણતી, બસ એક શક્તિ છે જે મારી પાસે આ બધુ કરાવે છે. આમ કહીને તે અનાજ સાફ કરવા બેસી ગયા.
અહીં સારવાર લીધેલા ઘણા લોકોનું કહેવું છે કે તેમની પથરી સારી થઈ ગઈ છે. પણ ડૉક્ટરોને આ વાત પર ભરોસો નથી. જ્યારે આ અંગે જનરલ સર્જેન ડૉ. અપૂર્વ ચૌધરી જોડે વાત કરવાંમાં આવી તો એમને બતાવ્યુ કે પથરી જો ઝીણી હશે તો તે પેશાબના રસ્તે બહાર નીકળી જશે. નહી તો સંપૂર્ણ સારવાર વગર તે દૂર થઈ શકે જ નહી . મોઢાં વડે પથરી કાઢવી શક્ય જ નથી. બની શકે કે કોઈ પથ્થરને પહેલાથી જ મોઢાંમાં રાખ્યો હોય અને પથરી કાઢવાનો દાવો કરે.
આમ તો પથરીની સારવાર ઘણી રીતે થાય છે. ક્યારેક ફક્ત દવાથી જ કામ ચાલી જાય છે, તો ક્યારેક દૂરબીન સર્જરી, લેઝર સર્જરી, તો ક્યારેક ઓપરેશન પણ કરવું પડે છે. પથરી શરીરના કયા ભાગ પર છે તેના પર એ નિર્ભર રહે છે. પણ પથરીનું દર્દ સહેવાવાળાઓને સીતાદેવી પર અતૂટ વિશ્વાસ છે. તેમનો દાવો છે કે સીતાદેવી પાસે સારવાર કરાવ્યાં પછી સોનોગ્રાફીમાં બીજીવાર પથરી દેખાતી નથી.
ક્યારથી આ સારવાર કરવાનું ચાલું કર્યુ તો તેમને કહ્યું કે હું જ નથી જાણતી, આ પ્રક્રિયા ક્યારે અને કેવી રીતે શરુ થઈ. બસ સપનામાં દેવીમાં એ આદેશ કર્યો હતો. નાનપણથી જ હું દેવીમાંની ઉપાસક રહી છું જ્યાં સુધી મને યાદ છે છેલ્લા 18 વર્ષોથી હું આ જ રીતે પથરી કાઢી રહી છું, કેટલાક લોકો સારા પણ થયા છે. આ કોઈ વિદ્યા કે જ્ઞાન નથી જે હું બીજાને વહેંચી શકું, આ તો દેવીમાંની કૃપા છે. હું જે પણ કાંઈ કરું છું - તે માતાજી મારી પાસેથી કરાવે છે.
|