1. ધર્મ
  2. »
  3. શ્રદ્ધા-અંધશ્રદ્ધા
  4. »
  5. અંધશ્રદ્ધા

તે મોઢા વડે કાઢે છે... પથરી !!

તે મોઢા વડે કાઢે છે... પથરી  !!
W.DW.D
આસ્થા અને અંધવિશ્વાસના આ પથ પર અમારી મંઝિલ હતી ઉજ્જૈન નજીકનું રલાયતા ગામ. અમે સાંભળ્યું હતુ કે આ ગામમાં રહેતી એક વૃદ્ધા ગમે તેવી પથરી કેમ ન હોય બસ તેને મોંઢાં વડે કાઢી નાખે છે. આ વાત વિષે વધુ જાણવા માટે અમે તે ગામમાં જવાનું નક્કી કર્યુ. અમે ઉજ્જૈનની બહાર બનેલાં કાલિદેહ પૈલેસની આગળ ગયા તો વિચાર કર્યો કે કોઈને રલાયતા ગામનો રસ્તો પૂછી લેવો જોઈએ.

ફોટો ગેલેરી જોવા અહીં ક્લીક કરો...

થોડીજ વારમાં અમને એક ગોવાળ દેખાયો. અમે જ્યારે તેને રલાયતા ગામનો રસ્તો પુછ્યો તો તેણે તરતજ સામેથી વળતો સવાલ કર્યો શુ તમારે પથરી કાઢવી છે? અમે કહ્યું હા, એવું જ સમજો.

તેણે કહ્યું કે તો આમ તેમ શા માટે ભટકો છો. સામે જ એક રસ્તો છે, ત્યાં તમને જે મળે તેઓને આગળનો રસ્તો પૂછી લેજો. તમે સાચી જગ્યાએ પહોંચી જશો. અમે તેની સલાહ માનીને તે રસ્તે ગયા અને થોડીજ વારમાં સીતાબાઈની ઝૂંપડી પાસે આવી પહોંચ્યા.

W.DW.D
અહીં આવતાં અમે જોયું તો દુર્ગા માતાજીનાં મંદિરની દીવાલની આડમાં એક વૃદ્ધ સ્ત્રીને લોકોએ ઘેરી મુકી હતી. તેની પાસે ગયા તો ખબર પડી કે આ તે જ સીતાબાઈ છે જે મોઢાં વડે પથરી કાઢી નાખે છે. તેની આસપાસ સારવાર કરાવવા માંગતાં લોકોની ભીડ હતી. સીતાબાઈ એકાગ્રતાથી પોતાનું કામ કરી રહ્યાં હતા. તે એક વ્યક્તિને નીચે સુવાડતી, અને તેને પૂછતી કે ક્યાં દુ:ખી રહ્યું છે, પછી તે ભાગને ચૂસતી. થોડી ક્ષણોમાં સામે બેસેલા છોકરાને પોતાના મોઢાંમાંથી પથરી કાઢી આપી દેતી.

આ પ્રક્રિયા લગાતાર લાંબા સમય સુધી ચાલતી રહી. જેવો જ તેમને થોડો સમય મળ્યો કે અમે પ્રશ્નોનો મારો ચલાવ્યો. સીતાબાઈ એ કહ્યું કે "હું છેલ્લા 18 વર્ષોથી પથરી કાઢવાનું કામ કરી રહી છું.' પોતાની વાતને આગળ વધારતા તેઓએ કહ્યું કે, " હું હવા છું અને મારા 52 સ્થાન છે. દરેક જગ્યાએ હું અલગ અલગ કામ કરું છું. સારવારનો મૂળ મંત્ર માં પ્રત્યે શ્રધ્ધા છે. વિશ્વાસ સાચો હશે તો યોગ્ય સારવાર થશે નહિ તો કશુ જ નહિ થઈ શકે'.

W.DW.D
આટલું બોલીને તે ફરી પોતાના દર્દીઓની સારવારમાં લાગી ગયા. એક તરફ સીતાબાઈ દ્વારા સારવાર ચાલી રહી હતી.

બાજુમાં એક બ્રાહ્મણ, પીડિત લોકોને પાલક, ટમેટાં, રીંગણા નહી ખાવાની સલાહ આપી રહ્યાં હતા. અને ત્યાંજ તુલસીના પાન, બીલપત્રનું ચૂર્ણ દવા તરીકે આપવામાં આવી રહ્યું હતું. જે ત્રણ દિવસ સુધી સાંજે ખાવાની સલાહ આપવામાં આવી રહી હતી. સીતાબાઈ પાસે સારવાર કરાવવાં માટે રાજસ્થાન, કાનપુર, ગ્વાલિયર વગેરે જુદી જુદી જગ્યાઓથી લોકો આવ્યાં હતા.

સર્વેક્ષણમાં ભાગ લેવા માટે અ‍હીં ક્લીક કરો...


W.DW.D
જયપુરથી આવેલા એ.કે મોરેની સાથે 75 વર્ષીય શ્રીમતિ ભગવાન દેવી કિડનીની પથરીની સારવાર કરાવવાં આવ્યા હતા. એમને જયપુરમાં સીતાબાઈ વિશે સાંભળ્યું હતું. તેમનું કહેવું હતું કે "આ ઉંમરે વળી ક્યાં ઓપરેશન કરાવવું, એટલે અહીં આવી છું'. તમને કેવો અનુભવ થયો એવું પૂછતાં તે બોલ્યા કે " એક અલગ જ પ્રકારનો ખેંચાવ લાગી રહ્યો હતો. કોઈ દુ:ખાવો નહી થયો. મહિના પછી ફરી આવવાનું કહ્યું છે. એના પછી સોનોગ્રાફી કરવાની કહી છે. જોઈએ હવે શુ થાય છે.'

ફોટો ગેલેરી જોવા અહીં ક્લીક કરો...

ભગવાન દેવી ની જેમ ઘણાં લોકો હતા જે અહીં પહેલીવાર આવ્યાં હતાં. તો કેટલાક લોકો બીજીવાર આવ્યાં હતા. જે બીજીવાર આવ્યાં હતાં તેમને પૂછતાં જાણવા મળ્યું કે તેમને દર્દમાં ખૂબ રાહત મળી છે. એવા જ એક વ્યક્તિ મનોજનું કહેવું હતું કે હવે હું ગ્વાલિયર જઈને અલ્ટ્રાસાઉંડ કરાવીને જોઈશ ત્યારે ખબર પડશે કે પથરી છે કે નહીં.

W.DW.D
એક તરફ અમે લોકો સાથે વાતચીત કરી રહ્યાં હતાં ત્યાં બીજી તરફ સીતાબાઈ સતત પથરી કાઢવાનું કામ કરી રહી હતી. અમારી વાતચીત પૂરી થતાં અમે સીતાબાઈની રાહ જોવા લાગ્યાં. પણ આ શું ! જેવો તેમનાં છેલ્લા દર્દીની સારવાર પૂરી થતાં જ તેમનો વ્યવહાર બદલાઈ ગયો. થોડીવાર પહેલા જે મહિલા અમારી સાથે ગુસ્સાથી વાત કરી રહ્યાં હતાં. તે હવે સાઘારણ દાદી-નાનીની જેમ વાત કરવા માંડ્યાં. અમે તેમને પૂછ્યું કે તમે આ કામ કેટલા વર્ષથી કરી રહ્યા છો. તેમણે અનોખો જવાબ આપ્યો. " હું કશું નથી કરી રહી જે કરી રહ્યાં છે એ તો માતાજી કરી રહ્યાં છે. હું કેવી રીતે સારવાર કરૂં છું એ તો હું પણ નથી જાણતી, બસ એક શક્તિ છે જે મારી પાસે આ બધુ કરાવે છે. આમ કહીને તે અનાજ સાફ કરવા બેસી ગયા.

અહીં સારવાર લીધેલા ઘણા લોકોનું કહેવું છે કે તેમની પથરી સારી થઈ ગઈ છે. પણ ડૉક્ટરોને આ વાત પર ભરોસો નથી. જ્યારે આ અંગે જનરલ સર્જેન ડૉ. અપૂર્વ ચૌધરી જોડે વાત કરવાંમાં આવી તો એમને બતાવ્યુ કે પથરી જો ઝીણી હશે તો તે પેશાબના રસ્તે બહાર નીકળી જશે. નહી તો સંપૂર્ણ સારવાર વગર તે દૂર થઈ શકે જ નહી . મોઢાં વડે પથરી કાઢવી શક્ય જ નથી. બની શકે કે કોઈ પથ્થરને પહેલાથી જ મોઢાંમાં રાખ્યો હોય અને પથરી કાઢવાનો દાવો કરે.

W.DW.D
આમ તો પથરીની સારવાર ઘણી રીતે થાય છે. ક્યારેક ફક્ત દવાથી જ કામ ચાલી જાય છે, તો ક્યારેક દૂરબીન સર્જરી, લેઝર સર્જરી, તો ક્યારેક ઓપરેશન પણ કરવું પડે છે. પથરી શરીરના કયા ભાગ પર છે તેના પર એ નિર્ભર રહે છે. પણ પથરીનું દર્દ સહેવાવાળાઓને સીતાદેવી પર અતૂટ વિશ્વાસ છે. તેમનો દાવો છે કે સીતાદેવી પાસે સારવાર કરાવ્યાં પછી સોનોગ્રાફીમાં બીજીવાર પથરી દેખાતી નથી.

ક્યારથી આ સારવાર કરવાનું ચાલું કર્યુ તો તેમને કહ્યું કે હું જ નથી જાણતી, આ પ્રક્રિયા ક્યારે અને કેવી રીતે શરુ થઈ. બસ સપનામાં દેવીમાં એ આદેશ કર્યો હતો. નાનપણથી જ હું દેવીમાંની ઉપાસક રહી છું જ્યાં સુધી મને યાદ છે છેલ્લા 18 વર્ષોથી હું આ જ રીતે પથરી કાઢી રહી છું, કેટલાક લોકો સારા પણ થયા છે. આ કોઈ વિદ્યા કે જ્ઞાન નથી જે હું બીજાને વહેંચી શકું, આ તો દેવીમાંની કૃપા છે. હું જે પણ કાંઈ કરું છું - તે માતાજી મારી પાસેથી કરાવે છે.