એવા વ્યક્તિઓ કે જેની જન્મ કુંડળીમાં ચોથા, સાતમાં, આઠમાં કે બારમાં ભાવમાં મંગળ હોય છે તે મંગળની શાંતિ માટે અહીં વિશેષ પૂજા-અર્ચના કરે છે. માર્ચ મહિનાની અંગારક ચતુર્થીનાં દિવસે મંગળનાથ મંદિરમાં ખાસ પૂજા અર્ચના કરવામાં આવે છે. આ પ્રસંગે અહિં હોમ-હવન કરવામાં આવે છે. આ સમય દરમિયાન મંગળગ્રહની શાંતિ માટે લોકો દૂર-દૂરથી ઉજ્જૈન આવે છે.
દંતકથાઃ- મંગળનાથ મંદિરમાં પૂજા-અર્ચના કરવાથી કુંડળીમાં ઉગ્ર મંગળ ગ્રહ શાંત થઇ જાય છે. આ ધારણાનાં કારણે દરેક વર્ષે જેઓની કુંડળીમાં મંગળદોષ હોય તેવા હજારો નવયુગલો પૂજા-પાઠ કરવા અહીં આવે છે.
ક્યારે જવું- દરેક મંગળવારે આ મંદિરમાં લોકોની ભીડ જામે છે, પરંતુ માર્ચની અંગારક ચતુર્થી અહીંનું સૌંદર્ય અદ્દભૂત હોય છે. તમે તમારી સગવડ પ્રમાણે આ મંદિરમાં ગમે ત્યારે આવી શકો છો. કેવી રીતે જવું-
રોડ માર્ગઃ- ઉજ્જૈન-આગ્રા-કોટા-જયપુર માર્ગ, ઉજ્જૈન-બદનાવર-રતલામ-ચિત્તૌડ માર્ગ, ઉજ્જૈન-મક્સી-શાજાપુર-ગ્વાલિયર-દિલ્લી માર્ગ, ઉજ્જૈન-દેવાસ-ભોપાલ માર્ગ, ઉજ્જૈન-ધુલિયા-નાસિક-મુંબઇ માર્ગ.
રેલ્વે માર્ગઃ- ઉજ્જૈન થી મક્સી-ભોપાલ માર્ગ (દિલ્લી-નાગપુર લાઇન), ઉજ્જૈન-નાગદા-રતલામ માર્ગ (મુંબઇ-દિલ્લી લાઇન), ઉજ્જૈન-ઇંદોર માર્ગ (મીટરગેજથી ખંડવા લાઇન), ઉજ્જૈન-મક્સી-ગ્વાલિયર-દિલ્લી માર્ગ
હવાઇ માર્ગઃ- ઉજ્જૈનથી ઇંદૌર એરપોર્ટ લગભગ 65 કિલોમીટર દૂર છે.
ક્યાં રહેવું:- ઉજ્જૈનમાં સારી હોટલોથી સામાન્ય ધર્મશાળા પણ ઉપલબ્ધ છે. આ ઉપરાંત મહાકાળ સમિતિનું મહાકાળ અને હરસિદ્ધિ મંદિરની આજુ-બાજુ સારી ધર્મશાળા છે. આ ધર્મશાળામાં એસી, નોન એસી અને ડોરમેટ્રી રૂમની સગવડ છે. મંદિરની પ્રબંધક સમિતિ તેનો રખરખાવ સારો કરે છે.
|