1. ધર્મ
  2. »
  3. ધર્મ યાત્રા
  4. »
  5. ધાર્મિક યાત્રા

અમંગળને મંગળ કરે - મંગળનાથ

પુરાણો પ્રમાણે અહીં ધરતીપુત્ર મંગળનો જન્મ થયો હતો

અમંગળને મંગળ કરે - મંગળનાથ ધરતીપુત્ર
W.DW.D
ધર્મ યાત્રાની આ યાત્રામાં તમે દર્શન કરો મધ્યપ્રદેશની ધાર્મિક પાટનગર ઉજ્જૈનનાં મંગળનાથ મંદિરનાં. હિન્દૂ પૂરાણો અનુસાર ઉજ્જૈન નગરીને મંગળની જનની કહેવામાં આવે છે. જે લોકોની જન્મ કુંડળીમાં મંગળ ભારે હોય છે તેઓ મંગળગ્રહની શાંતિ માટે ઉજ્જૈનમાં પૂજા-પાઠ કરવામાં આવે છે. દેશમાં મંગળ ભગવાનનાં અનેક મંદિર આવેલા છે પરંતુ ઉજ્જૈન મંગળનું જન્મસ્‍થળ હોવાથી અહીંની પૂજાને ખાસ મહત્વ આપવામાં આવે છે.

મંગળનાથની ફોટો ગેલેરી જોવા અહીં ક્લીક કરો.

W.DW.D
કહેવાય છે કે, મંગળનું આ મંદિર સૌકાઓ પુરાણું છે. સિંધિયા રાજઘરાનાએ આ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. ઉજ્જૈનને ભગવાન મહાકાળની નગર કહેવામાં આવે છે. માટે અહીં મંગળનાથ ભગવાનની શિવરૂપી પ્રતિમાની પૂજા કરવામાં આવે છે. દરેક મંગળવારે આ મંદિરમાં ભક્તોની ભીડ લાગે છે.

મંગળના જન્મની કથા આ પ્રમાણે છે.....
અંધકાસુર નામનો દાનવને ભગવાન શંકરે વરદાન આપ્યું હતું કે, તેના રક્તથી સૈંકડો દાનવો જન્મ લેશે. વરદાન મેળવ્યા બાદ અંધકાસુરે અવંતિકા નગરીમાં હાહાકાર મચાવી દીધો હતો. જ્યારે દીન-દુઃખી લોકોએ દેવાધીદેવ મહાદેવને પ્રાર્થના કરી ત્યારે ભક્તોનાં સંકટને દૂર કરવા સ્વયં ભગવાન શિવે અંધકારસુર સાથે યુદ્ધ કર્યું. બંને વચ્ચે ભીષણ યુદ્ધ થયું. ‍શંકરને પરસેવો આવી ગયો. રૂદ્રના પરસેવાની ગરમીનાં કારણે ઉજ્જૈનની ધરતી ફાટીને બે ભાગમાં વહંચાઇ ગઇ અને મંગળનો જન્મ થયો. શિવજીએ દાનવ અંધકાસુરનો વધ કર્યો અને તેનાં રક્તની બૂંદોને નવઉત્પન્ન મંગળ ગ્રહે પોતાની અંદર સમાવી લીધી. માટે જ કહેવાય છે કે, મંગળની ધરતી લાલ રંગની છે.... (સ્‍કંધ પરાણનાં અવંતિકા ખંડ અનુસાર)

W.DW.D
આ મંદિરમાં સવારે છ વાગ્યે મંગળા આરતી શરૂ થાય છે. આરતી બાદ મંદિરનાં પરિસરની આજુ-બાજુ પોપડ ઘુમવા લાગે છે. જ્યાં સુધી તેઓને પ્રસાદનાં દાણા મળતા નથી તેઓ ત્યાં મંડરાય છે. અહીંનાં પુજારી નિરંજન ભારતી જણાવે છે કે, પ્રસાદનાં દાણા નાખવામાં અમારાથી થોડો પણ વિલંબ થાય તો પક્ષીઓ શોર-બકોર કરી મૂકે છે.

અહીંના લોકોને શ્રદ્ધા છે કે, પક્ષીઓનાં સ્‍વરૂપમાં મંગળનાથ સ્‍વયં પ્રસાદ ખાવા આવે છે. મંગળ ગ્રહને મેષ અને વૃશ્ચિક રાશીનો સ્‍વામી માનવામાં આવે છે.


W.DW.D
એવા વ્યક્તિઓ કે જેની જન્મ કુંડળીમાં ચોથા, સાતમાં, આઠમાં કે બારમાં ભાવમાં મંગળ હોય છે તે મંગળની શાંતિ માટે અહીં વિશેષ પૂજા-અર્ચના કરે છે. માર્ચ મહિનાની અંગારક ચતુર્થીનાં દિવસે મંગળનાથ મંદિરમાં ખાસ પૂજા અર્ચના કરવામાં આવે છે. આ પ્રસંગે અહિં હોમ-હવન કરવામાં આવે છે. આ સમય દરમિયાન મંગળગ્રહની શાંતિ માટે લોકો દૂર-દૂરથી ઉજ્જૈન આવે છે.

દંતકથાઃ- મંગળનાથ મંદિરમાં પૂજા-અર્ચના કરવાથી કુંડળીમાં ઉગ્ર મંગળ ગ્રહ શાંત થઇ જાય છે. આ ધારણાનાં કારણે દરેક વર્ષે જેઓની કુંડળીમાં મંગળદોષ હોય તેવા હજારો નવયુગલો પૂજા-પાઠ કરવા અહીં આવે છે.

ક્યારે જવું- દરેક મંગળવારે આ મંદિરમાં લોકોની ભીડ જામે છે, પરંતુ માર્ચની અંગારક ચતુર્થી અહીંનું સૌંદર્ય અદ્દભૂત હોય છે. તમે તમારી સગવડ પ્રમાણે આ મંદિરમાં ગમે ત્યારે આવી શકો છો.

W.DW.D
કેવી રીતે જવું-

રોડ માર્ગઃ- ઉજ્જૈન-આગ્રા-કોટા-જયપુર માર્ગ, ઉજ્જૈન-બદનાવર-રતલામ-ચિત્તૌડ માર્ગ, ઉજ્જૈન-મક્સી-શાજાપુર-ગ્વાલિયર-દિલ્‍લી માર્ગ, ઉજ્જૈન-દેવાસ-ભોપાલ માર્ગ, ઉજ્જૈન-ધુલિયા-નાસિક-મુંબઇ માર્ગ.

રેલ્વે માર્ગઃ- ઉજ્જૈન થી મક્સી-ભોપાલ માર્ગ (દિલ્‍લી-નાગપુર લાઇન), ઉજ્જૈન-નાગદા-રતલામ માર્ગ (મુંબઇ-દિલ્‍લી લાઇન), ઉજ્જૈન-ઇંદોર માર્ગ (મીટરગેજથી ખંડવા લાઇન), ઉજ્જૈન-મક્સી-ગ્વાલિયર-દિલ્લી માર્ગ

હવાઇ માર્ગઃ- ઉજ્જૈનથી ઇંદૌર એરપોર્ટ લગભગ 65 કિલોમીટર દૂર છે.

ક્યાં રહેવું:- ઉજ્જૈનમાં સારી હોટલોથી સામાન્ય ધર્મશાળા પણ ઉપલબ્ધ છે. આ ઉપરાંત મહાકાળ સમિતિનું મહાકાળ અને હરસિદ્ધિ મંદિરની આજુ-બાજુ સારી ધર્મશાળા છે. આ ધર્મશાળામાં એસી, નોન એસી અને ડોરમેટ્રી રૂમની સગવડ છે. મંદિરની પ્રબંધક સમિતિ તેનો રખરખાવ સારો કરે છે.
About Writer
શ્રુતિ અગ્રવાલ