એક તરફ કાવડિયોની જય જયકાર અને બીજી તરફ ગુલાબ ઉડાડતી યુવાનોની મંડળી જોવા મળે છે. સંપૂર્ણ દ્રશ્ય મનોહર અને ભવ્ય હોય છે. ઓમકારા મહારાજની પંચમુખી રજત પ્રતિમાના ફૂલોથી સુસજ્જિત પાલખીમાં બેસીને કોટિતીર્થ ઘાટ પર લાવવામાં આવે છે. નગર ભ્રમણ બાદ બંનેની સવારીને સંપૂર્ણ સુવિધા સાથે નૌકા વિહાર કરાવવામાં આવે છે. આ સમય દરમિયાન સંપૂર્ણ વાતાવરણ શિવમય બની જાય છે.
કેવી રીતે જઇશું-
હવાઇમાર્ગ- અહીંથી લગભગ 77 કિલોમીટર દૂર ઇન્દોર એરપોર્ટ છે. અહીંથી એરપોર્ટ દિલ્લી,મુંબઇ અને ભોપાલથી જોડાયેલ છે. રેલમાર્ગ- અહીંથી 12 કિલોમીટર દૂર ખંડવા-રતલામ જંકશન છે. પશ્વિમી રેલવે મુખ્યાલય હોવાને કારણે અહી અવર-જવર માટે સર્વ સુલભ છે. સડક માર્ગ-ઓમકારેશ્વર મધ્યપ્રદેશના ઇન્દોર,ઉજ્જૈન,ખંડવા વગેરે શહેરોથી જોડાયેલ છે.આ શહેરોથી થઇને આગ્રા-મુંબઇ માર્ગ નીકળે છે.આવી રીતે અહીં સડકમાર્ગ પણ સુલભ છે. અહીં નિયમીત બસ સેવા ઉપલબ્ધ છે.
|