જેના ઘરમાં હોય છે આ ઝાડ ત્યા અકાળ મૃત્યુ અને ચિંતાઓ પ્રવેશ નથી કરી શકતી
આસોપાલવના ઝાડને અશોકનું વૃક્ષ પણ કહેવાય છે. આસોપાલવ(અશોક)નું ઝાડ ખૂબ પવિત્ર અને લાભકારી હોય છે. માન્યતા છે કે આસોપાલવનુ વૃક્ષ જે સ્થાન પર ઉગે છે. જ્યા દુ:ખ અને અશાંતિનો નાશ થઈ જાય છે. આ ઝાડમાં ઔષધીય ગુણો સાથે સાથે જ્યોતિષિય ગુણ પણ હોય છે. માંગલિક અને ધાર્મિક કાર્યોમાં આસોપાલવના પાનનો પ્રયોગ કરવામાં આવે છે. વાસ્તુમુજબ અશોકનુ વૃક્ષ ઘરમાં લગાવવુ અત્યંત લાભકારી છે.
- સુખ, શાંતિ અને સમૃદ્ધિ કાયમ રહે છે અને અકાળ મૃત્યુનો ભય નથી રહેતો.
- સ્ત્રીઓની શારીરિક અને માનસિક ઉર્જામાં વૃદ્ધિ હોય છે.
- રોજ આ ઝાડ પર જળ અર્પિત કરવાથી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે અને દાંપત્ય જીવન સુખી રહે છે.
- આસોપાલવનું વૃક્ષ ઉત્તર દિશામાં લગાવવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વહે છે.
- દર શુક્રવારે આસોપાલવના ઝાડ પર ઘી અને કપૂર મિક્સ કરીને દીવો પ્રજવલ્લિત કરવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશ કરતી નથી.
- જે લોકો રોજ આસોપાલવના ઝાડ પર જળ અર્પિત કરે છે તેમના પર દૈવીય કૃપા કાયમ રહે છે. તેમને બીમારી, દુ:ખ, અશાંતિ જેવી ચિંતાઓ અડી પણ નથી શકતી.
- શુભ મુહૂર્તમાં આસોપાલવના ઝાડની જડ કાઢીને તેને સ્વચ્છ જળ કે ગંગાળ જળથી શુદ્ધ કરીને પૂજા ઘરમાં મુકવાથી ઘરના વાસ્તુદોષ ઓછા થાય છે.