શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : રવિવાર, 19 ફેબ્રુઆરી 2017 (23:47 IST)

ખાંડ અને લોટનો આ ઉપાય કરતા રહેશો તો ઘરમાં ગરીબી નહી આવે

ઈમાનદારીથી કામ કરતા રહ્યા પછી પણ પણ જો કાર્યમાં સફળતા નથી મળી રહી  કે  ધન લાભ નથીથઈ રહ્યો તો જ્યોતિષમાં જણાવેલ ઉપાય કરતા રહેવાથી સકારાત્મક ફળ મળી શકે છે. અહીં જાણો ધનલાભ અપાવતા જ્યોતિષના ઉપાય 
ઘરની આસપાસ જ્યાં પણ કાળી કીડીઓ થઈ રહી હોય . ત્યાં ખાંડ અને લોટ કીડીઓ માટે નાખી દો. 
 
પીપળ પર જળ ચઢાવો અને સાત પરિક્રમા કરો. આ ઉપાયથી શનિની સાથે રાહુ-કેતુના દોષ પણ દૂર થાય છે. 
 
શનિવારે કાળા ઘોડાની નાળથી બનેલી વીંટી ધારણ કરો. કોઈ સ્મશાનમાં લાકડીનું દાન કરો. 
 
કાળા કૂતરાને દૂધ પીવડાવો. જ્યારે પણ રોટલીઓ બનાવો તો છેલ્લી રોટલી પર તેલ લગાવીને કાળા કૂતરાને ખવડાવો. આ ઉપાય દર શનિવારે કે દરરોજ કરી શકો છો. 
 
શનિ મંત્ર- ૐ પ્રાં પ્રીં પ્રૌં સ: શનેશ્ચરાય નમ: મંત્રનો જપ કરો. મંત્ર જપની સંખ્યા ઓછામાં ઓછા 108 હોવી જોઈએ. આ જપ ઘરના મંદિરમાં પણ કરી શકો છો.