શુક્રવાર, 29 માર્ચ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Modified: રવિવાર, 13 સપ્ટેમ્બર 2020 (08:21 IST)

આજે ઈંદિરા એકાદશી - આ ઉપાયોથી પૂરી થશે મનોકામના

અશ્વિન મહીનનીએ એકાદશી તિથિને ઈંદિરા એકાદશી કહેવામાં આવે છે. એકાદશીને વર્ષના તમામ ચોવીસ એકાદશીમાં સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. 
 
ઈંદિરા એકાદશીની પૂજા વિધિ 
 
- સવારે સ્નાન કરીને સૂર્ય ભગવાનને જળ ચઢાવો. આ પછી, પીળા વસ્ત્રો પહેરીને ભગવાન વિષ્ણુની પૂજા કરો.
- તેમને પીળા ફૂલો, પંચામૃત અને તુલસીની દાળ અર્પણ કરો. આ પછી શ્રી હરિ અને મા લક્ષ્મીના મંત્રોનો જાપ કરો.
- ગરીબ વ્યક્તિને પાણી, ખોરાક-કપડા અથવા પગરખાં,  છત્રીનુ દાન કરો.
- આ દિવસે, પાણી વિનાના ઉપવાસ રાખવામાં આવે છે, પરંતુ જરૂર પડે તો જ્યુસ અને ફળ જરૂરી હોય તો લઈ શકાય છે.
 
ઈંદિરા એકાદશી ના દિવસે, સારા સ્વાસ્થ્ય અને સુખદ જીવનની ઇચ્છા પૂર્ણ થઈ શકે છે, કરો આ મહાઉપાય 
 
- નિર્જલ વ્રત કરો અને જળનુ દાન કરો 
- ઈંદિરા એકાદશીનું વ્રતનું વિધિપૂર્વક કરવાથી અને જરૂરિયાતમંદ લોકોને ફળ, અન્ન, આસન, છત્ર અને શરબતનું દાન કરવાથી  મનની ઈચ્છા પૂર્ણ થવા સાથે  તમામ પાપનો નાશ થાય છે
- એક ચકોર ભોજપત્ર પર કેસરમાં ગુલાબજળ ઉમેરીને ત્રણ વખત ઓમ નમો નારાયણ મંત્ર લખો.
- હવે એક આસન પર બેસીને વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરો, આ પાઠ વાંચ્યા પછી આ ભોજપત્રને તમારા પર્સ અથવા ખિસ્સામાં મુકો