1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : ગુરુવાર, 29 ફેબ્રુઆરી 2024 (00:53 IST)

Guruwar Na Upay - ગુરુવારે હળદરનો આ ઉપાય કરશો તો થશે આર્થિક લાભ

મનુષ્યના જીવનમાં ઘણી પરેશાનીઓ આવે છે જેવી  કે ખૂબ મેહનત કરવા  છતાંય પણ ફળ મળતું નથી, યોગ્ય જીવનસાથી મળતો નથી.  ઘરેલૂ સમસ્યાઓ કે માનસિક તનાવ જેવી પરિસ્થિતિઓમાંથી છુટકારો  મેળવવા માટે ગુરૂવારે  ઘરમાં  લક્ષ્મી પ્રપ્તિ માટે આ ઉપાય જરૂર કરો. 
 
1. બેસનના લાડુનો ભોગ- દર ગુરૂવારે ભગવાન શંકરને બેસનના લાડુનો ભોગ લગાવો. 
 
2. પીળા કપડા પહેરો - ગુરૂવારે ગુરૂ  ગ્રહનું  વ્રત કરી  સૂર્યોદય  પહેલા સ્નાન કરીને  પીળા કપડા પહેરો. 
 
3. પીળા રંગની વસ્તુઓ ખાવી, વ્રતમાં  મીઠાનું વગરનું મોળું ભોજન કરવું. ભોજનમાં પીળા રંગના પકવાન જેમ કે બેસનના લાડુ, કેરી, કેળા વગેરે પણ શામેલ  કરો. 
 
4. બૃહસ્પતિ ભગવાનની પૂજા- ગુરૂવારે ગુરૂ બૃહસ્પતિની મૂર્તિ  કે ફોટાને પીળા કપડા પર વિરાજિત કરો અને તેમની પૂજા કરો.
  
5. વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ -  ભગવાન વિષ્ણુની સામે દીવો  પ્રગટાવીને વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરો. 
 
6. ગુરૂવારની વ્રત કથા- પૂજામં કેસરિયા ચંદન, પીળા ચોખા,  પીળા ફૂલ અને ભોગ માટે પીળા લાડુ કે બરફીનો ઉપયોગ કરો. સાથે જ ગુરૂવારની વ્રત કથા વાંચો અને સાંભળો. 
 
7. તિલક- પૂજા પછી તમારા માથા પર કેસર કે હળદરનું  તિલક લગાવો અને પ્રસાદ જરૂર લો

8  જો તમે તમારી આર્થિક સ્થિતિને લઈને થોડા દિવસોથી પરેશાન છો, તો આ સમસ્યાને દૂર કરવા માટે આજે જ ઘરના તમામ સભ્યોને એક કાચું નારિયેળ આપો અને 10 મિનિટ પછી તે નારિયેળ તેમની પાસેથી પાછું લઈ લો. હવે તે બધા નારિયેળ વહેતા પાણીના વહેણમાં છોડો અને તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થાય તેવી પ્રાર્થના કરો. આવું  કરવાથી તમને તમારી આર્થિક સ્થિતિ સંબંધિત કોઈપણ સમસ્યાથી જલ્દી જ છુટકારો મળશે


Edited by - kalyani deshmukh