શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Modified: શનિવાર, 2 ઑગસ્ટ 2014 (17:19 IST)

સાંપને દૂધ પીવડાવવાનુ આ રહસ્ય જાણીને તમે ચોંકી જશો

શાસ્ત્રોમાં આ વાતનો ઉલ્લેખ જોવા મળ્યો છે કે સાંપોને દૂધ પીવડાવવાથી સર્પ દેવતા પ્રસન્ન થાય છે. તેનાથી ઘરમાં અન્ન ધન અને લક્ષ્મીનો ભંડાર કાયમ રહે છે. તેથી આ પરંપરા સદીઓથી ચાલી આવી રહી છે કે નાગપંચમીના દિવસે નાગોને દૂધ લાવા અર્પિત કરવામાં આવે. 
 
આ પરંપરાનો લાભ ઉઠાવવા માટ નાગપંચમીના પ્રસંગ પર મદારીઓની ટોળીઓ લોકોના દરવાજે પર જઈને નાગ દર્શન કરાવે છે. દર્શન પછી નાગ દેવતાના માટે દૂધ લાવાનુ દાન માંગવામાં આવે છે. 
 
આવુ જ દ્રશ્ય આ વર્ષ પણ દેશના અનેક ભાગોમાં જોવામાં આવ્યુ છે. પણ નાગોને દૂધ પીવડાવવા સાથે જોડાયેલ એક રહસ્ય એવુ છે જે તમને ચોંકાવી દેશે. 
 
દૂધ પીધા પછી સાંપને શુ થઈ જાય છે ? 
 
શાસ્ત્રોમાં સાપને દૂધ પીવડાવવાના મતને વિજ્ઞાન સ્વીકારતુ નથી. જંતુઓનો સ્વભાવ અને તેમના ગુણો પર કામ કરનરા વિશેષજ્ઞ ડોક્ટર્સ અને મદારીઓ પોતે પણ સ્વીકારે છે કે સાંપનુ શરીર આ પ્રકારનુ નથી હોતુ કે તે દૂધ પી શકે. જો સાંપે દૂધ પી લીધુ તો તેના આંતરડામાં ઈંફેક્શન થઈ જાય છે અને તે જલ્દી મરી જાય છે. 
 
એક વિશેષજ્ઞ મુજબ સાંપ સંપૂર્ણ રીતે માંસાહારી પ્રાણી હોય છે અને ઉંદર-કીડા-મકોડા માછળીઓ વગેરે ખાય છે. દૂધ તેમને માટે ઝેર સમાન છે. સાંપની સાંભળવાની ક્ષમતા હોતી નથી. તેઓ ફક્ત બીન માંથી નીકળેલ તરંગોને મહેસૂસ કરીને બીન સાથે ડોલે છે.  
 
આયુર્વેદાચાર્ય ડો. એસકે રાયે જણાવ્યુ કે સાંપ એવી વસ્તુઓ ગ્રહણ કરે ચ હે જે ન અમ્લીય હોય છે ન તો ક્ષારીય હોય છે. દૂધની પ્રકૃતિ વચ્ચેની છે. આવામાં જો તેમને દૂધ પણ પી લીધુ તો તેમના આંતરડામાં ઈંફેશન થશે. દૂધની માત્રા થોડી પણ વધી તો સાંપનુ મોત થશે. રાષ્ટ્રીય સ્તર પર સાંપોનો શો કરનારા ભવર બાવરાએ પણ આ પરંપરાને સંપૂર્ણ રીતે ગેરસમજ બતાવી.  
 
તેથી શરૂ થઈ સાંપને દૂધ પીવડાવવાની પરંપરા 
 
પર્યાવરણ વિશેષજ્ઞ આ પરંપરાને પારિસ્થિતિક સંતુલન સાથે જોડીને જુએ છે. તેમનુ કહેવુ છે કે સાંપ એવો પ્રાણી છે જેને પાણીની અંદર શ્વાસ લેવામાં મુશ્કેલી આવે છે. વરસાદમાં જેવુ સાંપના બખોલમાં પાણી ધુસે કે તે બહાર નીકળી આવે છે. 
 
મોટી સંખ્યામાં સાંપ નીકળતા લોકો તેને મારી નાખશે. તેથી ઋષિયોએ તેમને દૂધ લાવા ચઢાવવાની પરંપરા શરૂ કરી જેથી સાંપોનુ જીવન અને પારિસ્થિતિક સંતુલન કાયમ રહે.  
 
સાંપના કેચુલનો આ ફાયદો જાણીને ચોકી જશો 
 
સાંપોના જાદુગર કહેવાતા ચૌફટકા નિવાસી લલ્લુ મદારીની વાત માનીએ તો ઈલાહાબાદ કોબરા, કરઈત, અજગર, ઘોડા પછાડ ઘામિન, ગેહંઅન, બેમોઢાના, મગરગો શિવનાથર સહિત સાંપોની 116 જાતિયો મળે છે. પણ તેમાથી ફક્ત પાંચ ટકા જ ઝેરીલા હોય છે. 
 
કોબરા અને કરઈતની સંખ્યા ઝડપથી ઘટી રહી છે. લલ્લુએ જણાવ્યુ કે કેંચુલથી નાસુરના ઈલાજની દવા બને છે જેની માંગ વધુ છે.