1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Modified: સોમવાર, 24 જૂન 2019 (10:45 IST)

Top News : હૈદરાબાદના 'વિઝા ટૅમ્પલ' ચિલકુર બાલાજી મંદિરમાં બાળકીઓ સાથે દુષ્કર્મ અટકાવવા ગાયની પૂજા

દેશભરમાં બાળકીઓ સાથે થતી દુષ્કર્મની ઘટનાઓ અટકાવવા માટે રવિવારે હૈદરાબાદના ચિલકુર બાલાજી મંદિરમાં પણ આવી પૂજા કરવામાં આવી હતી.
ઇન્ડિયા ટૂડેના અહેવાલ મુજબ, પૂજારીએ ત્રણ ગાય સાથે ચિલકુર બાલાજી મંદિરની પ્રદક્ષિણા કરી હતી.
 Twitter post by @ANI: Hyderabad  A special prayer was organised in Chilkoor Balaji Temple, Gandipet with three cows today. Priest Ranga Rajan says,"3 cows will do 3 Pradakshina around Balaji temple sanctum to prevent evil thoughts,deeds like rapes. Three Pradakshinams represent words,deeds&thoughts." Image Copyright @ANI@ANI
પૂજારી રંગ રાજને જણાવ્યું કે, "કોઈ પણ મુશ્કેલીમાંથી બહાર આવવા માટે ગાયની પૂજા કરવી એ પરંપરા છે. તેથી અમે દેશભરમાં બાળકીઓ પર થતા દુષ્કર્મને અટકાવવા માટે આ પૂજા કરી."
તેમણે કહ્યું, "આપણી પાસે સૌથી જૂનું સાહિત્ય અને શિક્ષણ પદ્ધતિ છે. તેમાં ક્યાંય બાળકીઓ સાથે દુષ્કર્મની ઘટનાઓનો ઉલ્લેખ નથી."
"મહિલાઓ સાથેના દુર્વ્યવહારની વાત ચોક્કસ જોઈ શકાય છે. હવે આપણે પશ્ચિમી શિક્ષણ પદ્ધતિ અને સંસ્કૃતિ અપનાવી લીધી છે. તેથી આવી ઘટનાઓ બની રહી છે, તેને અટકાવવા માટે આ વિધિ કરી."