1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 10 સપ્ટેમ્બર 2019 (10:49 IST)

સરદાર સરોવર ડૅમની જળસપાટી 136 મિટરને પાર

ટાઇમ્સ ઑફ ઇન્ડિયામાં પ્રકાશિત અહેવાલ પ્રમાણે કેવડિયા કૉલોની ખાતેના સરદાર સરોવર ડૅમની જળસપાટીમાં વધારો થયો છે.
હાલમાં ડૅમની જળસપાટી 136 મિટરને પાર કરી ગઈ છે. જળસપાટીમાં વધારો થતાં આસપાસનાં ગામોને ઍલર્ટ કરવામાં આવ્યાં છે.
2017 પછીની આ સૌથી વધુ 136.21 મિટર જળસપાટી છે. ભારે વરસાદને કારણે 2017માં ડૅમની જળસપાટી 138 મિટરે પહોંચી હતી.
હાલમાં ડૅમના 30માંથી કુલ 23 દરવાજા ખોલવામાં આવ્યા છે.
નર્મદા નદીના કાંઠે આવેલાં ગામો ઉપરાંત વડોદરા અને ભરૂચ જિલ્લામાં પણ ચેતવણી આપવામાં આવી છે.
નર્મદા જિલ્લાના કલેક્ટર આઈ. કે. પટલે એક પરિપત્ર બહાર પાડીને જિલ્લા અધિકારીઓને ઍલર્ટ રહેવા સૂચના આપી છે અને જળસ્તર વધતાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે પણ તકેદારીનાં પગલાં લેવાં જણાવ્યું છે.