જમ્મુ-કાશ્મીરના પૂંછમાં શનિવારે (4 મે) સાંજે એરફોર્સના જવાનો પર આતંકી હુમલો થયો. જેમાં પાંચ સૈનિકો ઘાયલ થયા. તેમાંથી એકનું મોત થયું હતું. 30 થી વધુ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ હુમલો પૂંછના શાહસિતાર વિસ્તારમાં થયો હતો. સમગ્ર વિસ્તારને ઘેરી લઈને સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.