ઓમપુરી પર પત્નીને મારપીટ કરવાનો આરોપ, ઓમપુરી ફરાર
પત્નીને ડંડાથી મારવાના આરોપમાં જાણીતા એક્ટર ઓમપુરી વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે. પોલીસે ઓમપુરીને ફરાર જાહેર કરી દીધા છે. એક્ટર ઓમપુરી વિરુદ્ધ અંધેરીના પોતાના એપાર્ટમેંટમાં પત્નીને મારપીટ કરવાના આરોપમાં કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસના મુજબ ઓમપુરીની પત્ની નંદિતા પુરીએ ગુરૂવારે રાત્રે પોલીસ સાથે સંપર્ક કર્યો અને પોતાના પતિ વિરુદ્ધ ફરિયાદ કરી. તેમણે ફરિયાદ કરી છે કે તેમના પતિએ તેમને ડંડાથી મારી. ત્યારબાદ પોલીસે ઓમપુરી વિરુદ્ધ એફઆઈઆર નોંધાવી. 62
વર્ષીય અભિનેતા વિરુદ્ધ આઈપીસીની ધારા 324, ધારા 504 અને ધારા 506 (અપરાધિક ધમકી) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને તેમને આ કેસમાં ફરાર જાહેર કરી દેવાયા છે. પોલીસ મુજબ બંન વચ્ચે અંધેરીના વસોવા વિસ્તારમાં સેવન બંગલોઝ સ્થિત ત્રુશિલ બિલ્ડિંગમાં પોતાના ફ્લેટના દેખરેખને લઈને બોલચાલ શરૂ થઈ. ત્યારબાદ ગુસ્સે ભરાયેલા એક્ટરે ગુરૂવારે રાત્રે લગભગ નવ વાગ્યે ડંડાથી પોતાની પત્ની નંદિતાને માર માર્યો. પોલીસના મુજબ નંદિતા પુરી ગુરૂવારે રાત્રે સાઢા 11 વાગ્યે વસોવા પોલીસ સ્ટેશન પહોંચી અને તેણે પોતાના પતિ ઓમપુરી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી.