આમિરને વધુ એક ઝટકો, અતુલ્ય ભારત પછી હવે સ્નેપડીલ પણ કોન્ટ્રાક્ટ રિન્યુ નહી કરે
સ્નેપડીલ પોતાના બ્રાન્ડ એમ્બ્રેસેડર તરીકે હવે બોલીવુડના સ્ટાર આમીર ખાન સાથેનો કોન્ટ્રાકટ રીન્યુ નહી કરે. આ કોન્ટ્રાકટ આ મહિને જ સમાપ્ત થઇ રહ્યો છે. શરત અનુસાર આ કોન્ટ્રાક્ટ એક વર્ષ વધારી શકાયો હોત પરંતુ કંપનીએ આ કોન્ટ્રાક્ટસમાપ્ત કરવાનો નિર્ણય લીધો છે.
સુત્રો કહે છે કે, વિજ્ઞાપન ખર્ચ ઉપર કાબુ મેળવવા માટે કંપની આમીરની જગ્યાએ બીજા કોઇપણને પણ બ્રાન્ડ એમ્બેસેડર ન બનાવે તેવી શકયતા છે. આમીર સાથે અસહિષ્ણુતાનો મામલો જોડાયો છે. વિવાદ બાદ સ્નેપડીલને પણ સહન કરવુ પડયુ હતુ. આમીરને આ બીજો ઝટકો લાગ્યો છે. ગયા મહિને પ્રવાસન મંત્રાલયે અતુલ્ય ભારત અભિયાનના બ્રાન્ડ એમ્બેસેડરની જવાબદારીમાંથી મુકત કર્યો હતો.