શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: બુધવાર, 8 ઑક્ટોબર 2014 (15:17 IST)

રણવીર કોના માટે ગૃહ ત્યાગશે

મુંબઈ 
 
અભિનેતા રણવીર સિંહ માટે સંજય લીલા ભંસાલીની નવી ફિલ્મ બાજીરાવ મસ્તાની મોટો પ્રોજેક્ટ છે. જેના માટે રણવીર સિંહ પોતાના ઘર-પરિવારથી નહીં પરંતુ સમગ્ર દુનિયા સાથેનો નાતો તોડી નાખશે. 
 
બાજીરાવ મસ્તાની માટે રણવીર પોતાના ઘરની બહાર જઈને એકલા રહેવાની તૈયારી કરી રહ્યો છે. અભિનેતાએ કહ્યું હતું કે,ઘરમાં મારી માતા ,પિતા અને બહેન છે ફિલ્મ માટે મને એકલાપણું જોઈતું હતું . બાજીરાવના પાત્રને યોગ્ય રીતે ન્યાય આપી શકું તે હેતુથી હું કેટલાક દિવસો માટે ટેલીવિઝન,ફોન ઈનટરનેટથી દૂર જવા માંગતો હતો. 
 
બોલીવુડમાં રણવીરની એવા કેટલાંક અભિનેતાઓમાં ગણના થાય છે કે જે પોતાના પાત્રને ન્યાય આપવા માટે ગમે તે હદ સુધી જઈ શકે છે. 
 
ફિલ્મનું શૂંટિંગ ગમે ત્યારે શરૂ થઈ શકે છે. ફિલ્મમાં રણવીર પોતાની પ્રેમિકા દીપિકા પાદોકોણ સાથે દેખાશે આ બન્નેની જોડીને સંજય લીલા ભંસાલીની ફિલ્મ રામલીલામાં ખૂબ પસંદ કરવામાં આવી હતી.