શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: મુંબઈ , શુક્રવાર, 25 જુલાઈ 2014 (12:18 IST)

રાજેશ ખન્નાનો બંગલો મુંબઈના બિઝનેસમેને 90 કરોડમાં ખરીદ્યો

. બોલીવુડના સુપરસ્ટાર રાજેશ ખન્નાએ કાર્ટર રોડ સ્થિત બંગલો શહેરના એક ઈંડસ્ટ્રિયલિસ્ટે ખરીદ્યો છે. બંગલાનુ નામ આશીર્વાદ છે. એવુ કહેવાય રહ્યુ છે કે બંગલો ઓલકાર્ગો લોજિસ્ટિક્સના એક્ઝીક્યુટિવ ચેયરમેન શશિ કિરણ શેટ્ટીએ ખરીદ્યો છે. 
 
સમુદ્ર કિનારે આવેલ બંગલો રાજેશ ખન્નાના ઢગલો ફેંસ માટે મુખ્ય ટુરિસ્ટ અટ્રેક્શન હતો. બજારના સૂત્રો મુજબ 630 સ્કેવરફીટ મીટર પ્રોપર્ટીના વેચાણથી દિવંગત સુપરસ્ટારની ફેમિલીને 90 કરોડ રૂપિયા મળશે. પ્રોપર્ટી વેચાણથી રાજેશ ખન્નાની બે પુત્રીઓ ટ્વિંકલ અને રિંકીને ફાયદો થશે.  જો કે શેટ્ટીએ આ અંગે કોઈ પ્રતિક્રિયા આપવાની ના પાડી દીધી છે. 
 
 
તેમની સોલિસિટર ફર્મ માનેક્ષા એંડ સેઠનાએ ખરીદારનુ નામ બતાવવાની ના પાડી દીધી છે. સુત્રોના મુજબ ડીલ એ સમય પુરી થહ્સે જ્યારે અનિવાર્ય 14 દિવસની નોટિસ થર્ડ પાર્ટીના માલિકાના દાવાને લઈને પ્રક્રિયા પુરી થઈ જશે. સુત્રોના મુજબ શેટ્ટી છેલ્લા કેટલાક વર્ષોથી શહેરમાં બંગલો શોધી રહ્યા હતા. આ માટે તેમણે 100 કરોડનુ બજેટ રાખ્યુ હતુ.