શનિવાર, 21 સપ્ટેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Updated : બુધવાર, 31 જાન્યુઆરી 2024 (11:21 IST)

ભારતીય ક્રિકેટર સાથે કાવતરું? પાણીમાં ઝેરી પદાર્થ ભેળવ્યો? પોલીસમાં ફરિયાદ નોંધાવી

Mayank Agarwal
- પાણી સમજીને એસિડ જેવો પદાર્થ પીધો
- ફ્લાઈટમાં બેસતાની સાથે જ તેને અસ્વસ્થતા
-આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા

 
Mayank Agarwal Health Update:કર્ણાટક ટીમના કેપ્ટન મયંક અગ્રવાલની તબિયત બગડતાં તેમને અગરતલાની હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા.
 
તે રણજી મેચ રમીને અગરતલાથી પરત ફરી રહ્યો હતો પરંતુ ફ્લાઈટમાં બેસતાની સાથે જ તેને અસ્વસ્થતા અનુભવવા લાગી. 
 
અહેવાલો અનુસાર, મયંકે એક પાઉચમાંથી પીણું પીધું, તેને પાણી સમજીને પીધું, જે ઈન્ડિગો એરલાઈનની ફ્લાઈટમાં તેની સીટ પર રાખવામાં આવ્યું હતું. તે પીધા પછી તે બીમાર પડી ગયો.
 
કર્ણાટકના અનુભવી ઓપનર અને કેપ્ટન મયંક અગ્રવાલ સોમવારે રણજી ટ્રોફી મેચ રમીને અગરતલાથી પરત ફરી રહ્યા હતા ત્યારે એરપોર્ટ પર ફ્લાઈટમાં ચઢતાની સાથે જ તેમની તબિયત બગડી હતી. તેને મોં અને ગળામાં તકલીફ થવા લાગી. તેને તાત્કાલિક અગરતલાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
 
સમાચાર અનુસાર, મયંકે બપોરે 2:30 વાગ્યે અગરતલાથી ફ્લાઈટ પકડવાની હતી. તે ફ્લાઈટમાં પણ ચઢ્યો હતો, તે દરમિયાન તેને ગળામાં થોડી સમસ્યા થવા લાગી. આ પછી મયંકને ફ્લાઈટમાંથી ઉતારીને હોસ્પિટલના ઈમરજન્સી વિભાગમાં લઈ જવામાં આવ્યો હતો. તેમને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાલ તેની સારવાર ચાલી રહી છે. પોલીસ આ ઘટનાની પણ તપાસ કરી રહી છે. મયંકે હાલમાં જ અગરતલામાં ત્રિપુરા વિરૂદ્ધ મેચ રમી હતી, જે 26 જાન્યુઆરીથી શરૂ થઈ હતી. આ મેચમાં મયંકે 51 અને 17 રનની ઇનિંગ રમી હતી. તેમની ટીમ કર્ણાટક 29 રને મેચ જીતી હતી.