શુક્રવાર, 29 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. બાળ જગત
  3. નોલેજ
Written By
Last Modified: મંગળવાર, 5 જુલાઈ 2016 (15:51 IST)

અમરનાથ યાત્રા - શુ આપ જાણો છો ગુફામાં હિમ શિવલિંગ કેવી રીતે બને છે ?

પવિત્ર ગુફામાં બનનારુ શિવલિંગ કે હિમલિંગના નિર્માણની સ્ટોરી કોઈ ચમત્કારથી ઓછી નથી. આ શિવલિંગનુ નિર્માણ ગુફાની છત પરથી ટપકી રહેલ પાણીના ટીપાથી થાય છે. પાણીના રૂપમાં પડનારા ટીપાં એટલા ઠંડા હોય છે કે નીચે પડતા જ બરફ બનીને એક કઠણ પદાર્થ બની જાય છે.  જે પ્રાકૃતિક સ્થિતિયોમાં આ શિવલિંગનુ નિર્માણ થય છે એ વિજ્ઞાનના તથ્યોથી વિપરિત છે. 
 
વિજ્ઞાન મુજબ બરફ જામવા માટે લગભગ શૂન્ય ડિગ્રી તાપમાનની જરૂર હોય છે.  પણ અમરનાથ યાત્રા દરમિયાન આ સ્થાનનુ તાપમાન શૂન્યથી ઉપરથ થઈ જાય છે. પ્રાકૃતિક હિમથી બનતુ હોવાને કારણે આને સ્વયંભૂ હિમાની શિવલિંગ પણ કહે છે.  ચન્દ્રમાં ઘટવા અને વધવાની સાથે સાથે આ બરફનો આકાર પણ વઘ-ઘટ થતો રહે છે. 
 
શ્રાવણની પૂનમના દિવસે આ પોતાના પુરા આકારમાં આવી જાય છે અને અમાસ સુધી ધીરે ધીરે નાનો થાય છે.  આશ્ચર્યની વાત તો એ છે કે આ શિવલિંગ ઠોસ બરફનુ બનેલુ હોય છે.  જ્યારે કે ગુફામાં મોટાભાગે કાચો બરફ હોય છે.