આ પણ વાંચો :
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ મહેસાણાથી જ ચૂંટણી લડશે

મહેસાણામાંથી એક સમયે ચૂંટણી લડવામાં કચવાટ અનુભવતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ હવે મહેસાણાથી જ ચૂંટણી લડવાના છે તેની સત્તાવાર જાહેરાત પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ કરી દીધી છે. ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ આ ઉપરાંત મુખ્ય પ્રધાન વિજય રૂપાણી પણ રાજકોટથી જ ચૂંટણી લડશે તેની પણ સત્તાવાર જાહેરાત કરી દીધી છે. મ
મહેસાણા બેઠક પરથી નીતિન પટેલ નવા સીમાંકન બાદ પ્રથમવાર ચૂંટણી જીત્યા હતા. જયારે મહેસાણા બેઠક પરથી આ તેમની બીજી ચૂંટણી છે. મહેસાણા વિધાનસભા બેઠક પરના અત્યાર સુધીના પરિણામની વાત કરીએ તો જણાશે કે વર્ષ ૨૦૧૨માં આ બેઠક પરથી ભાજપના ઉમેદવાર નીતિન પટેલે કોંગ્રેસના ઉમેદવાર નટવરલાલ પટેલને ૧૪. ૮૧ ટકા મતથી હરાવીને બેઠક જીતી હતી. ભાજપના ઉમેદવાર નીતિન પટેલે કડી બેઠક એસ.સી. માટે અનામત થતાં આ બેઠક પરથી ચુંટણી લડી હતી. જયારે વર્ષે ૨૦૦૭માં ભાજપના ઉમેદવાર અનિલ પટેલે કોંગ્રેસના ઉમેદવાર નરેશ રાવલને ૧૭ હજાર મતથી હરાવ્યા હતા. આ બેઠક પર વર્ષ ૧૯૮૫ બાદની તમામ વિધાનસભા ચુંટણીમાં ભાજપના જ ઉમેદવાર વિજયી બનતાં આવ્યા છે.એટલે કે આ બેઠક ઉત્તર ગુજરાતની ભાજપની કમિટેડ બેઠક ગણવામાં આવે છે. મહેસાણા વિધાનસભા બેઠકના જાતિગત ગણિતની વાત કરીએ તો જણાશે કે કુલ મતદારોમાં પાટીદાર ૨૨.૬ ટકા, ઠાકોર ૧૫. ૮ ટકા, સવર્ણ ૧૨. ૯ ટકા, ક્ષત્રિય ૨.૩ ટકા, ચૌધરી ૩.૪ ટકા. ઓબીસી ૧૪. ૨ ટકા, મુસ્લિમ ૫.૬ ટકા, દલિત ૧૧.૭ ટકા છે. જોવા જઈએ તો આ બેઠક પાટીદાર ઉપરાંત સવર્ણ મતદારો પણ એટલાં જ પ્રભાવી જોવા મળે છે. મહેસાણા બેઠક પાટીદાર અનામત આંદોલન બાદ બદલાયેલા રાજકીય સમીકરણના પગલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ફરી એક વાર ચૂંટણી જીતી જશે તેવો પક્ષને વિશ્વાસ છે. આ ઉપરાંત રાજય સરકાર ચૂંટણી પૂર્વે જ પાટીદાર અનામત આંદોલનને પૂર્ણ કરવા માટે કોઈ રસ્તો શોધી લેશે તેવો આશાવાદ પણ નીતિન પટેલ હાલ સેવી રહ્યાં હોય તેમ લાગી રહ્યું છે.
મહેસાણા બેઠક પરથી નીતિન પટેલ નવા સીમાંકન બાદ પ્રથમવાર ચૂંટણી જીત્યા હતા. જયારે મહેસાણા બેઠક પરથી આ તેમની બીજી ચૂંટણી છે. મહેસાણા વિધાનસભા બેઠક પરના અત્યાર સુધીના પરિણામની વાત કરીએ તો જણાશે કે વર્ષ ૨૦૧૨માં આ બેઠક પરથી ભાજપના ઉમેદવાર નીતિન પટેલે કોંગ્રેસના ઉમેદવાર નટવરલાલ પટેલને ૧૪. ૮૧ ટકા મતથી હરાવીને બેઠક જીતી હતી. ભાજપના ઉમેદવાર નીતિન પટેલે કડી બેઠક એસ.સી. માટે અનામત થતાં આ બેઠક પરથી ચુંટણી લડી હતી. જયારે વર્ષે ૨૦૦૭માં ભાજપના ઉમેદવાર અનિલ પટેલે કોંગ્રેસના ઉમેદવાર નરેશ રાવલને ૧૭ હજાર મતથી હરાવ્યા હતા. આ બેઠક પર વર્ષ ૧૯૮૫ બાદની તમામ વિધાનસભા ચુંટણીમાં ભાજપના જ ઉમેદવાર વિજયી બનતાં આવ્યા છે.એટલે કે આ બેઠક ઉત્તર ગુજરાતની ભાજપની કમિટેડ બેઠક ગણવામાં આવે છે. મહેસાણા વિધાનસભા બેઠકના જાતિગત ગણિતની વાત કરીએ તો જણાશે કે કુલ મતદારોમાં પાટીદાર ૨૨.૬ ટકા, ઠાકોર ૧૫. ૮ ટકા, સવર્ણ ૧૨. ૯ ટકા, ક્ષત્રિય ૨.૩ ટકા, ચૌધરી ૩.૪ ટકા. ઓબીસી ૧૪. ૨ ટકા, મુસ્લિમ ૫.૬ ટકા, દલિત ૧૧.૭ ટકા છે. જોવા જઈએ તો આ બેઠક પાટીદાર ઉપરાંત સવર્ણ મતદારો પણ એટલાં જ પ્રભાવી જોવા મળે છે. મહેસાણા બેઠક પાટીદાર અનામત આંદોલન બાદ બદલાયેલા રાજકીય સમીકરણના પગલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ફરી એક વાર ચૂંટણી જીતી જશે તેવો પક્ષને વિશ્વાસ છે. આ ઉપરાંત રાજય સરકાર ચૂંટણી પૂર્વે જ પાટીદાર અનામત આંદોલનને પૂર્ણ કરવા માટે કોઈ રસ્તો શોધી લેશે તેવો આશાવાદ પણ નીતિન પટેલ હાલ સેવી રહ્યાં હોય તેમ લાગી રહ્યું છે.
|
|
સંબંધિત સમાચાર
- આગામી ૨૬ મી સપ્ટેમ્બરે ગાંધીનગર ખાતે પાટીદાર અગ્રણીઓ અને આંદોલનના કન્વીનરો સાથે બેઠક યોજાશે.
- મહેસાણામાં ઉપરાષ્ટ્રપતિનું આજે આગમન, રોડ નવો બનતાંની સાથે વિકાસ ગાંડો થયોનું કેમ્પેન ગાજ્યું
- ગુજરાતમાં દારુબંધી છે એટલે પેટ્રોલ મોંઘું મળે છે: નીતિન પટેલ
- આગામી ૨૬ મી સપ્ટેમ્બરે ગાંધીનગર ખાતે પાટીદાર અગ્રણીઓ અને આંદોલનના કન્વીનરો સાથે બેઠક યોજાશે.
- પાટણ અને મહેસાણામાં પ્રવેશ નહીં કરવાની શરતે હાર્દિક પટેલને જામીન મળ્યાં
Loading comments ...
