શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Updated : સોમવાર, 19 સપ્ટેમ્બર 2016 (16:06 IST)

સ્કિન ટોનને દૂર કરવા માટે યૂઝ કરો આ 6 નેચરલ બ્લીચર

natural skin bleachers lighten your skin tone

તમારા ત્વચાની સ્થિતિ  એ વાત પર નિર્ભર કરે છે કે તમે ત્વચા પર શું લગાડો છો અને એ વાત પર પણ નિર્ભર કરે છે કે તમે શું ખાઓ અને તમે તમારી ત્વચાની કેવી રીતે કાળજી કરો છો. તમારી ત્વચાને હાથ લગાવવાથી બચો. કેમિકલ આધારિત ઉત્પાદોના ઉપયોગ ન કરીને તમારા રોમ છિદ્રને બ6દ હોવાથી બચાવો. ત્વચા માટે સુરક્ષિત ક્લીંજર્સનો ઉપયોગ કરો. અને સૌથી વધારે મહત્વપૂર્ણ વાત કે તમારા શરીરને હાઈટ્રેટ રાખો. 

 
બહાર જવાના 30 મિનિટ પહેલા સનસ્ક્રીન લગાવો, સવારે 10 વાગ્યે થી બપોરે 12 વાગ્યે સુધી તડકામાં ન જવું અને ચેહરાને બચાવા માટે એને સ્કાર્ફથી ન ઢાંકવું. એવું કરવાથી બહારના બેકટીરિયા અને ધૂળ તમારા સ્કાર્ફમાં ફસાય જાય છે જે ત્વચાની સપાટી સાથે ઘસારા થયા બાદ ખંજવાળનું  કારણ બની શકે છે. આથી અહીં અમે ત્વચાની રંગતને નિખારવા માટે પ્રાકૃતિક ઉપાય જણાવી રહ્યા છીએ.  

1. સંતરા- સંતરામાં સિટ્રીક એસિડ અને વિટામિન સી હોય છે જે ત્વચાને પ્રાકૃતિક રૂપથી બ્લીચ કરે છે. 
એનો ઉપયોગ કેવી રીતે કરીએ- એક ચમચી સંતરાના છાલટાને પાવડરને દૂધ સાથે મિક્સ કરી પેસ્ટ બનાવો. એને તમારી ગરદન અને ચેહરા પર લગાડો. એને સૂકવા દો અને પછી ધોઈ નાખો. ઉત્તમ પરિણામ માટે એને આયુર્વેદિક ઉપચારને દરરોજ અજમાવો. 

2. હળદર- હળદરમાં પ્રાકૃતિક એંટી ઓક્સીડેંટ હોય છે તો ત્વચાથી વિષારી પદાર્થેને બહાર કાઢે છે અને ટેનિંગને દૂર કરે છે. 
એનો ઉપયોગ કેવી રીતે કરીએ- એક ચમચી હળદર મધ અને એક ચમચી દહીં મિક્સ કરી પેસ્ટ  બનાવો. આ પેસ્ટની પાતળી પરત તમારા ચેહરા અને ગરદન પર લગાડો. એને 30 મિનિટ સુધી સૂકવા દો પછી ધોઈને સાફ કરી લો. 

3. પપૈયા- પપૈયામાં વિટામિન એ, સી અને એંજાઈમ્સ હોય છે જે ત્વચાને પુનર્જીવિત કરે છે અને ત્વચાની રંગતને નિખારે છે. 
એનો ઉપયોગ કેવી રીતે કરીએ-એક પાકેલા પપિયાના ગુદો કાઢી લો અને એમાં એક ચમચી લીંબૂનો રસ મિકસ કરો. એને ગીળા ચેહરા પર લગાડો. એને 30 મિનિટ સુધી લગાડી રહેવા દો અને પછી ધોઈ નાખો. આ સ્કિનને પ્રાકૃતિક રીતે બ્લીચ કરવાનો સૌથી સુરક્ષિત તરીકો છે. 

6. દહીં - દહીંમાં લેક્ટિક એસિડ હોય છે જે ત્વચાની અશુદ્ધિઓને દૂર કરે છે ત્વચાને એક્સ્ફોલિયેટ કરે છે. અને રોમછિદ્રને ખોલે છે જેથી ત્વચા અજળી થાય છે. 
એનો ઉપયોગ કેવી રીતે કરીએ- દરરોજ રાત્રે સૂતા પહેલા ચેહરા પર દહીં લગાડો એને 15 મિનિટ લગાડ્યા પછી ધોઈ નાખો.