બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 4 જૂન 2019 (11:46 IST)

નરેન્દ્ર મોદી આપી રહ્યા છે તેમની સાથે ચા પીવાના સોનેરી અવસર, માત્ર કરવું પડશે આ કામ

નરેન્દ્ર મોદી આપી રહ્યા છે તેમની સાથે ચા પીવાના સોનેરી અવસર, માત્ર કરવું પડશે આ કામ 
 
માત્ર પીએમ મોદીની સાથે જ નહી, સૌથી વધારે ટેક્સ ચુકવતાને વિત્ત મંત્રી નિર્મલા સીતારમણની સાથે પણ ચા પીવાના અવસર મળી શકે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાથે ચા પર ચર્ચાના અવસર મેળવવા માટે ટેક્સપેયર્સ વધારે ટેક્સ આપવા માટે પ્રોત્સાહિત થશે. હકીકત સરકારના ઈનકમ ટેક્સ કલેકશન વધારવાના લક્ષ્ય છે. 
 
સરકારની યોજના ટેક્સ સિસ્ટમને વધારે પ્રગતિશીળ બનાવવાનું છે. આ યોજનાની જાહેરાત સરકાર જુલાઈમાં પેશ થતા બજેટમાં કરી શકે છે. અત્યારે જે પણ વધારે ટેક્સ ચુકવવે છે. તેને સરકારની તરફથી એપ્રિસિએશન સર્ટિફિકેટ મળે છે. ટેક્સપેયર્સને ચા માટે આમંત્રિત કરવાની યોજના એકદમ નવી છે. 
 
હકીકતમાં સરકાર વધારે થી વધારે યોજનાઓ લાવા ઈચ્છે છે. જેના માટે ફંડની જરૂરત થશે. પ્રધાનમંત્રી ખેડૂત સમ્માન નિધિ યોજનામાં ખેડૂત સુધી લાભ પહોંચાડવાની જાહેરાત સરકાર પહેલા જ કરી છે. વધતા સરકારી ખર્ચને ધ્યાનમાં રાખતા સરકાર લોકોને ટેક્સ ભરતા માટે પ્રોત્સાહિત કરવા ઈચ્છે છે. જેના માટે આ પગલા જલ્દી જ ઉપાડી શકાય છે. 
 
જણાવીએ કે વિત્ત વર્ષ 2018-19ના સમયે ઑનલાઈન આવકવેરા ભરનાર લોકોની સંખ્યામા ભારે ગિરાવટ આવી હતી. આવકવેરા વિભાગની વેબસાઈટ મુજબ વર્ષ 2018-19મા& ઑનલાઈન આવકવેરા ભરનારની સંખ્યામાં 6.6 લાખથી પણ વધારેની ગિરાવટ આવી હતી