1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: ઈસ્લામાબાદ , ગુરુવાર, 28 ફેબ્રુઆરી 2008 (18:48 IST)

મદરેસામાં મિસાઈલ હુમલો, 13ના મોત

ઈસ્લામાબાદ(ભાષા) પાકિસ્તાનના ઉત્તરી વઝિરિસ્તાનના કબાઈલી વિસ્તારમાં આજે એક મકાન ઉપર મિસાઈલ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં 13 લોકોના મોત અને સંખ્યાબંધ ઘાયલ થયા હતા. સ્થાનીક લોકોએ જણાવ્યુ હતુ કે, મિસાઈલ હુમલો રાત્રિના બે વાગ્યે થયો હતો. વઝિરીસ્તાનના આઝમ વર્સાક વિસ્તારમાં આવેલા મદરેસામાં છાત્રો સુઈ રહ્યા હતા. મરનારા શખ્સોમાં 10 આરબ પ્રદેશના તથા બાકીના પાકિસ્તાનના રહેવાસી હતા. જોકે હજી સુધી આ હુમલો કોના દ્વારા કરવામાં આવ્યો હતો તે જાણી શકાયુ નથી.