મંગળવાર, 12 ઑગસ્ટ 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By

સીરિયાની રાજધાનિ દમાસ્કસ પર ઈઝરાયેલના હુમલામાં ઓછામાં ઓછા 13 લોકોના મોત

At least 13 people were killed in an Israeli
સીરિયાએ કહ્યું છે કે ઈઝરાયેલે તેની રાજધાની દમાસ્કસ અને તેની આસપાસના વિસ્તારો પર કરેલા હુમલામાં ઓછામાં ઓછા 13 લોકો મૃત્યુ પામ્યા છે.
 
આ હુમલામાં 28 લોકો ઘાયલ થયા હોવાના સમાચાર પણ મળી રહ્યા છે.
 
સરકારી ટીવી પર દેખાડવામાં આવેલા વીડિયોમાં ક્ષતિગ્રસ્ત દશામાં એક 10 માળની ઇમારતને બતાવવામાં આવી છે.
 
ઈઝરાયેલે જે વિસ્તારમાં હુમલા કર્યા છે, ત્યાં સુરક્ષાના ભારે બંદોબસ્ત ધરાવતા રહેણાંક પરિસર છે. આ વિસ્તારમાં વસતી ઘનતા વધારે છે.
 
સમાચાર સંસ્થા રૉયટર્સ અનુસાર, ઈઝરાયેલે આ હુમલા પર પોતાનું નિવેદન આપવાથી ઇનકાર કર્યો છે.
 
ઈરાન અને હિઝબુલ્લા વિદ્રોહીઓથી જોડાયેલાં સીરિયાના વિસ્તારો પર ઈઝરાયેલ નિયમિત હુમલો કરતો રહ્યો છે. જોકે, તેણે ખૂબ જ ઓછી વખત પોતાની કાર્યવાહીને સ્વીકારી છે.