1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Updated :ઈસ્લામાબાદ , શુક્રવાર, 17 ઑક્ટોબર 2014 (11:37 IST)

ભારત પત્થર ફેંકે તો પાકિસ્તાન ઈંટ ફેંકી જવાબ આપે - જુઓ મુશર્રફનો ભડકાઉ વીડિયો

. પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિએ પરવેઝ મુશર્રફે ભારત અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે ઝેર ઓક્યુ છે. પોતાના એક ઈંટરવ્યુમાં મુશર્રફે કહ્યુ કે મોદી મુસ્લિમ અને પાકિસ્તાની વિરોધી છે. ભારત પથ્થર ફેંકે તો પાકિસ્તાને ઈંટ ફેકવી જોઈએ. 
 
પોતાના ઈંટરવ્યુમાં પરવેઝ મુશર્રફે કહ્યુ કે કાશ્મીરમાં ભારતને બંને તરફથી દબોચી લેવા પાકિસ્તાની સેના સક્ષમ છે. ભારતની સામે લડવા માટે પાકિસ્તાન  પાસે સેના સિવાય અન્ય લાખો લડવૈયાઓ લડવા તૈયાર છે. 
 
મુશર્રફ યુદ્ધવિરામ ભંગ માટે ભારતને દોષી માને છે. પીએમ મોદીને નિશાને લેતા મુશર્રફે કહ્ય કે મોદી મુસ્લિમ અને પાકિસ્તાન વિરોધી છે. 
 
મુશર્રફે કહ્યુ કે આપણે મુસલમાન છીએ. તેમણે આપણા એક ગાલ પર તમાચો માર્યો તો આપણે બીજો ગાલ ન ધરવો જોઈએ. ભારત પાકિસ્તાન ઉપર પથ્થર ફેંકે તો પાકિસાને ઈંટ ફેંકવી જોઈ. ભારતને જવાબ આપવા માટે પાકિસ્તાન પાસે સેના સિવાય અન્ય સ્ત્રોત છે. કાશ્મીરની અંદર ભારતની સામે લડવા અનેક લોકો તૈયાર છે. બસ તેમને ભડકાવવાની જરૂર છે. આ ઉપરાંત પાકિસ્તાની અંદર એક લાખ લોકો ભારત સામે લડવા તૈયાર છે. આવી પરિસ્થિતિમાં ભારત પાકિસ્તાનને હલકામાં ન લેવુ જોઈએ.  


 



(વીડિયો સાભાર - યુટ્યુબ)