શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: સોમવાર, 5 નવેમ્બર 2018 (08:41 IST)

આસિયા બીબી મામલો પાકિસ્તાનના રમખાણો મામલે 250ની ધરપકડ

પાકિસ્તાન પોલીસે ઈસાઈ મહિલા આસિયા બીવીન આ ઈશનિંદાના આરોપથી મુક્ત થયા પછી ત્રણ દિવસના પ્રદર્શન, હિંસા અને આગજની અને તોડફોડ મામલે લગભગ  250 લોકોની ધરપકડ કરી છે. પોલીસે ટીએલપી પ્રમુખ સહિત પાંચ હજાર લોકો પર રમખાણો અને શાંતિ અવરોધ કર અવાનો આરોપ લગાવ્યો છે. 
 
કટ્ટર પંથી ઈસ્લામી પાર્ટી તહરીક-એ-લબ્બૈક પાકિસ્તાન સાથે સમજૂતી કરવાના એક દિવસ પછી સરકાર હરકતમાં જોવા મળી અને પ્રદર્શન દરમિયાન સાર્વજનિક સંપત્તિને નુકશાન પહોંચાવનારા લોકો વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી દીધી ઈશનિંદા મામલે આસિયાના મુક્ત થયા પછી ટીએલપી અને અન્ય સમુહોની આગેવાનીવાળા પ્રદર્શનકારોએ  દેશના વિવિધ ભાગના મુખ્ય રાજમાર્ગો અને રસ્તાઓ રોકી દીધા હતા