1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|
Last Modified: દિલ્હી , શનિવાર, 9 માર્ચ 2013 (16:39 IST)

પાકિસ્તાનની દરેક નાપાક હરકતનો જવાબ આપીશુ - સેનાધ્યક્ષ

: પાકિસ્તાનના વડાપ્રધાન રાજા પરવેઝ અશરફ અજમેર શરીફની દરગાહમાં ઝિયારત માટે એકદિવસીય ભારત યાત્રાએ આવી પહોંચ્યા છે ત્યારે ભારતીય સેનાધ્યક્ષ જનરલ વિક્રમસિંહે પોતાનું મંતવ્ય વ્યક્ત કરતા કહ્યુ હતુ કે પાકિસ્તાનના વડાપ્રધાનની મુલાકાત અંગેનો નિર્ણય સરકારને જ લેવા દો. જો કે આ સાથે તેમણે અન્ય પ્રશ્નોના જવાબમાં એમ પણ કહ્યુ હતુ કે પાકિસ્તાન જો નાપાક હરકત કરશે તો તેનો જડબાતોડ જવાબ આપવામાં આવશે.

વિક્રમસિંહે કહ્યુ હતુ કે જો સરહદ પર ઘૂસણખોરી થશે તો તેનો જડબાતોડ આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ગત મહિને કાશ્મીરમાં પાક. સાથે સંલગ્ન અંકુશ રેખા પર બે ભારતીય જવાનોના મસ્તક પાકિસ્તાની સૈનિકો દ્વારા કપાવાની ઘટના પછી બંને દેશો વચ્ચે તણાવ ખૂબ વધી ગયો હતો. સેનાધ્યક્ષે ઉગાઉ પણ કહ્યુ હતુ કે પાકિસ્તાન તરફથી આ પ્રકારની ઘટનાઓ કોઈપણ સંજોગોમાં સહન કરવામાં નહીં આવે અને જો યુદ્ધવિરામનો ભંગ કરવામાં આવશે તો તેનો આકરો જવાબ પાકિસ્તાનને આપવામાં આવશે.

વિક્રમસિંહે ગર્જના કરતાં કહ્યુ હતુ કે પાકિસ્તાન જો કોઈપણ નાપાક હરકત કરશે તો એ સમજી લે કે અમે બંગડીઓ પહેરી નથી. જો કે પાકિસ્તાનના વડાપ્રધાનની આજની ભારતયાત્રા અંગે તેમણે આ રાજકીય મુદ્દો છે એમ કહીને કોઈ ટિપ્પણી કરવાનો ઈનકાર કરી દીધો હતો. તેમણે કહ્યુ હતુ કે આ બાબતે શું પ્રતિક્રિયા આપવી એ સરકારે નક્કી કરવાનું છે. આર્મીએ સરહદ પર ભારતીય સૈનિકોના મસ્તક કપાવાની ઘટના બની એ સમયે પોતાની પ્રતિક્રિયા આપી જ દીધી હતી.