લોકો તો નેગેટીવ બોલતા જ રહેવાના છે. તેના પર જો ધ્યાન આપશો તો જીવનમા નેગેટીવ જ થશે. લોકો દ્વારા કરાતી ટીકાને જો ચેલેન્જ તરીકે સ્વિકારવામા આવે તો સફળતાઓને હાથ લાગતા વાર નથી લાગતી. વિશ્વમાં મોટીવેશન માટે હજારો પુસ્તકો ઉપલબ્ધ છે અને મોટીવેશનલ ગુરૃઓ લેક્ચર આપતા રહે છે પણ સૌથી મોટુ કોઇ મોટીવેટર હોય તો તે વ્યક્તિ સ્વયં છે. એક વાર જો તમારો આત્મવિશ્વાસ જાગી ગયો પછી તમારી મંઝીલ સુધી પહોંચતા બીજા તો ઠીક તમે પોતે પણ તમારી જાતને રોકી નહી શકો. તેમ આજે વિદ્યાર્થીઓને પ્રોત્સાહીત કરવા માટે શહેરમા યોજાયેલા એક કાર્યક્રમમાં એક પગે અપંગ હોવા છતા માઉન્ટ એવરેસ્ટ સર કરનાર પ્રથમ ભારતીય યુવતિ અરૃણીમા સિંહે કહ્યુ હતું.